Senior Citizens માટે દેશની પ્રથમ Helpline શરૂ કરવામાં આવી, જાણો ટોલ ફ્રી નંબર અને મળનાર સુવિધાઓ વિશે

ભારત સરકારે દેશનો પ્રથમ ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14567 જારી કર્યો છે. તેને 'એલ્ડર લાઈન' નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ હેલ્પલાઈન દ્વારા વરિષ્ઠ નાગરિકો હવે તેમના પેન્શન અને કાયદાકીય બાબતોથી સંબંધિત માહિતી મેળવી શકશે.

Senior Citizens માટે દેશની પ્રથમ Helpline  શરૂ કરવામાં આવી, જાણો ટોલ ફ્રી નંબર અને મળનાર સુવિધાઓ વિશે
વરિષ્ઠ નાગરિકો માટે હેલ્પલાઈન શરૂ કરાઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 7:44 AM

વરિષ્ઠ નાગરિકો(senior citizen) માટે દેશની પ્રથમ હેલ્પલાઇન(Helpline) દેશભરમાં વૃદ્ધો માટે વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે જો તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે માત્ર એક નંબર પર કોલ કરી શકો છો. દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે. પીઆઈબીએ ટ્વીટ કરીને આ નંબર વિશે માહિતી આપી છે. આ હેલ્પલાઇન દ્વારા સરકાર તમામ વરિષ્ઠ નાગરિકોને મદદ કરવાનો અને તેમની ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.વયસ્કોને પડતી તકલીફો ઓછી કરવા અને તેમને લગતા દરેક કામને સરળ બનાવવા પ્રયાસ કરાઈ રહ્યા છે.

પીઆઈબીએ ટ્વીટ કર્યું

પીઆઈબીએ તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે વરિષ્ઠ નાગરિકો માટે, જો તેમને પેન્શન, કાયદાકીય સમસ્યાઓ અથવા કોઈપણ પ્રકારની સહાય સંબંધિત માહિતીની જરૂર હોય, તો તેઓ હવે હેલ્પ લાઈન નંબર પર કૉલ કરી શકે છે. અહીં તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે.

વરિષ્ઠ નાગરિકો માટે દેશની પ્રથમ હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર- 14567

નંબર શા માટે જાહેર કરવામાં આવ્યો?

તમને જણાવી દઈએ કે ભારત સરકારે દેશનો પ્રથમ ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 14567 જારી કર્યો છે. તેને ‘એલ્ડર લાઈન’ (Elder Line)નામ આપવામાં આવ્યું છે. જણાવી દઈએ કે આ હેલ્પલાઈન દ્વારા વરિષ્ઠ નાગરિકો હવે તેમના પેન્શન અને કાયદાકીય બાબતોથી સંબંધિત માહિતી મેળવી શકશે. આ સાથે, તમે ઘર પર દુર્વ્યવહારના કેસમાં પણ મદદ મેળવી શકશો. તે નિરાધાર વૃદ્ધો માટે મદદનું સાધન પણ બનશે.

દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થશે

આ હેલ્પલાઇન દ્વારા સરકાર તમામ વરિષ્ઠ નાગરિકોને મદદ કરવાનો અને તેમની ચિંતાઓને દૂર કરવાનો હેતુ ધરાવે છે. તેની સાથે જ તેના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી સમસ્યાનો પણ ઉકેલ આવી શકે છે. તમને જણાવી દઈએ કે હેલ્પલાઈન નંબર સૌથી પહેલા ટાટા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

2050 સુધીમાં વૃદ્ધોની વસ્તી 20% હશે

2050 સુધીમાં દેશમાં વૃદ્ધોની વસ્તી 20 ટકા સુધી પહોંચી જશે. આ ઉંમરના લોકોમાં અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળી છે. આમાં શારીરિક મુશ્કેલીઓથી લઈને માનસિક, ભાવનાત્મક અને કાનૂની સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ હેલ્પલાઈન દ્વારા, કોરોના રોગચાળાના આ યુગમાં વરિષ્ઠ નાગરિકોને વધુ સારી મદદ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">