જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે મળી પહેલી ઓફર
હરાજી લગાવવાના સમયના 2 દિવસ પહેલા જેટ એરવેઝને રોકાણકારોના એક અનપેક્ષિત જૂથે તેમની પ્રથમ ઓફર મોકલી છે. જૂથમાં એક બ્રિટિશ, એક NRI, રોકાણ ફર્મ ફ્યૂચર ટ્રેન્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રેડક્લિફ કેપિટલ અને એડિડ પાર્ટનર્સ સામેલ છે. ફયૂચર ટ્રેન્ટ અને ભાગીદારોએ પહેલા જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની સાથે મળીને એરલાઈન્સ માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી. TV9 […]
હરાજી લગાવવાના સમયના 2 દિવસ પહેલા જેટ એરવેઝને રોકાણકારોના એક અનપેક્ષિત જૂથે તેમની પ્રથમ ઓફર મોકલી છે.
જૂથમાં એક બ્રિટિશ, એક NRI, રોકાણ ફર્મ ફ્યૂચર ટ્રેન્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ, રેડક્લિફ કેપિટલ અને એડિડ પાર્ટનર્સ સામેલ છે. ફયૂચર ટ્રેન્ટ અને ભાગીદારોએ પહેલા જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલની સાથે મળીને એરલાઈન્સ માટે તેમની ઈચ્છા વ્યક્ત કરી હતી.
એરલાઈન સ્ટાર્ટઅપ એટમોસ્ફિયર ઈન્ટરકોન્ટિનેન્ટલ એરલાઈન્સના સંસ્થાપક જેસન અન્સવર્થે જણાવ્યું કે અમે હરાજીની શરૂઆત કરી. બ્રિટિશ ઉદ્યોગસાહસિકે પહેલા જેટ એરવેઝના CEO વિનય દુબેને પત્ર લખ્યો હતો, જે આ એરલાઈન્સને સંભાળવા માટેની ઓફર કરી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે નાણાંકીય સંકટ સામે લડી રહેલી જેટ એરવેઝે તેની તમામ ફલાઈટ બંધ કરી દીધી છે. ત્યારબાદ મંત્રાલયે દિલ્હી અને મુંબઈમાં મુકેલા સ્લોટ બીજી એરલાઈન્સને આપવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 71.90 ટકા પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 84.47 ટકા પરિણામ
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રભૂને નાગર ઉડ્ડીયન સચિવ પ્રદીપ સિંહ ખરોલા પાસે જેટ એરવેઝના સ્લોટ વિશે રિપોર્ટ માંગ્યો છે. જે સ્લોટ અન્ય વિમાન કંપનીઓને વહેંચવામાં આવ્યા છે. રિપોર્ટને 11મે સુધી આપવા માટે કહેવામાં આવ્યું છે. એક અધિકારીએ ગયા મહિને કહ્યું હતું કે જેટ એરવેઝની પાસે મુંબઈ અને દિલ્હી એરપોર્ટમાં 440થી વધારે સ્લોટ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]