ITR : છેલ્લી તારીખ નજીક આવતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનો પ્રવાહ તેજ બન્યો, છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ થયા

આવકવેરા વિભાગ સતત લોકોને ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અને 31 ડિસેમ્બરની છેલ્લી તારીખ વિશે જણાવે છે. વિભાગનું કહેવું છે કે લોકોએ છેલ્લી તારીખની રાહ જોવી જોઈએ નહીં અને શક્ય તેટલું જલ્દી આ કામ પૂર્ણ કરવું જોઈએ.

ITR : છેલ્લી તારીખ નજીક આવતા ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગનો પ્રવાહ તેજ બન્યો, છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ થયા
More than 5 crore ITR filed
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 9:40 AM

ગત નાણાકીય વર્ષ માટે લગભગ 4 કરોડ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ઈ-ફાઈલ કરવામાં આવ્યા છે. 21 ડિસેમ્બરે માત્ર એક જ દિવસમાં 8.7 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. IT વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. સમયમર્યાદા નજીક આવતા રિટર્ન ફાઇલિંગમાં તેજી જોવા મળી રહી છે.

વ્યક્તિગત કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. માત્ર એક સપ્તાહ બાદ આ સમયમર્યાદા પૂર્ણ થવાની છે અને હજુ લાખો લોકોનું ફાઇલિંગ બાકી છે. ઘણા લોકો છેલ્લી તારીખની રાહ જોયા વિના આ કામ ઝડપથી પૂર્ણ કરી રહ્યા છે. ટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 7 દિવસમાં 46.77 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

IT વિભાગે એક ટ્વિટમાં લખ્યું છે કે અત્યાર સુધીમાં 4 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા છે. છેલ્લા 7 દિવસમાં માત્ર 46.77 લાખ ITR ફાઈલ થયા છે. 21 ડિસેમ્બરે 8.7 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

ટેક્સ વિભાગે ચેતવણી આપી આવકવેરા વિભાગ સતત લોકોને ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ અને 31 ડિસેમ્બરની છેલ્લી તારીખ વિશે જણાવે છે. વિભાગનું કહેવું છે કે લોકોએ છેલ્લી તારીખની રાહ જોવી જોઈએ નહીં અને શક્ય તેટલું જલ્દી આ કામ પૂર્ણ કરવું જોઈએ. આ નાણાકીય વર્ષ 31 માર્ચ 2021 ના ​​રોજ સમાપ્ત થાય છે. આવકવેરા વિભાગ કરદાતાને SMS અને ઇમેઇલ મોકલીને વહેલા ફાઇલ કરવા માટે ચેતવણી આપી રહ્યું છે.

અગાઉ આવકવેરા વિભાગે છેલ્લી તારીખ વધારીને 31 જુલાઈથી 31 ડિસેમ્બર કરી હતી. હવે વ્યક્તિગત કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશે.

તાજેતરમાં કેન્દ્રીય નાણા મંત્રાલયે પણ આ અંગે માહિતી આપી હતી. શનિવારે, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21 માટે 3.7 કરોડ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે શનિવારે આ આંકડા જાહેર કર્યા હતા.

ITR કેવી રીતે ફાઇલ કરવું

  • https://www.incometax.gov.in/iec/foportal પર લોગીન કરો.
  • ઈ-ફાઈલ – ઈન્કમ ટેક્સ રિટર્ન – ફાઈલ ઈન્કમ ટેક્સ રિટર્ન પર જાઓ
  • આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી આકારણી વર્ષ, ફાઇલિંગનો પ્રકાર અને સ્ટેટ્સનો વિકલ્પ પસંદ કરો
  • Proceed પર ક્લિક કરો
  • પહેલા ITR પસંદ કરો અને તેને ફાઇલ કરવાનું કારણ પસંદ કરો.
  • માહિતી અહીં આપો અને જો ટેક્સ ભરવાનો થાય તો પેમેન્ટ કરો
  • પ્રીવ્યૂ પર ક્લિક કરીને રિટર્ન સબમિટ કરો
  • ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો
  • તે પછી વેરિફિકેશન મોડ પસંદ કરો
  •  EVC અથવા OTP દાખલ કરીને ITR ચકાસો. ચકાસણી માટે ITR-V ની સહી કરેલી નકલ CPC ને મોકલો

આ પણ વાંચો : Share Market : સારા વૈશ્વિક સંકેતો સાથે કારોબારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં અડધાં ટકાના ઉછાળા સાથે ખૂલ્યાં

આ પણ વાંચો : રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">