ITR Refund: રિટર્ન ફાઇલ કર્યા પછી હવે રિફંડ ક્યારે મળશે? જાણવા આ સરળ પ્રક્રિયા અનુસરો

કરદાતાઓ ઘણી રીતે ITR રિફંડની સ્થિતિ ચકાસી શકે છે. કરદાતાઓ આ કામ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ અને NSDLની વેબસાઈટ દ્વારા કરી શકે છે.

ITR Refund: રિટર્ન ફાઇલ કર્યા પછી હવે રિફંડ ક્યારે મળશે? જાણવા આ સરળ પ્રક્રિયા અનુસરો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 7:08 AM

કોઈપણ દંડ વિના નાણાકીય વર્ષ 2021-2022 અને આકારણી વર્ષ 2022-2023 માટે આવકવેરા રિટર્ન (IT Return)ફાઈલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ ગઈ છે. 31 જુલાઈ 2022 સુધી દેશભરમાં 5.83 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે. ઘણા લોકોને ITR ફાઈલ કર્યા પછી તેમનું ITR રિફંડ સ્ટેટસ(ITR Refund Status) મળી ગયું છે પરંતુ હજુ સુધી ઘણા લોકોને તેમનું રિફંડ(IT Refund) મળ્યું નથી. જો તમને પણ હજુ સુધી રિફંડ મળ્યું નથી, તો તમે આવકવેરા રિફંડની સ્થિતિ તપાસવા માટે NSDLની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

રિફંડ ક્યારે મળશે?

આવકવેરા વિભાગના નિયમો અનુસાર ITR ફાઇલ કર્યાના દસ દિવસ પછી કરદાતાઓ તેમના રિફંડની સ્થિતિ જાણી શકે છે. ITR ઈ-ફાઈલિંગ પછી કરદાતાઓને 20 થી 60 દિવસમાં રિફંડ મળે છે. આ સાથે તમે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-મેલને ફોલો કરતા રહ્યા. જો તમે ITR ફાઈલ કર્યા પછી તમારી રિફંડની સ્થિતિ ઓનલાઈન તપાસવા ઈચ્છો છો, તો અમે તમને પ્રક્રિયા વિશે જણાવી રહ્યા છીએ.

રિફંડની સ્થિતિ તપાસવાની ઘણી પદ્ધતિઓ

કરદાતાઓ ઘણી રીતે ITR રિફંડની સ્થિતિ ચકાસી શકે છે. કરદાતાઓ આ કામ આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ અને NSDLની વેબસાઈટ દ્વારા કરી શકે છે. સ્વીકૃતિ નંબર અને પાન નંબરની મદદથી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સ્ટેટસ ચેક કરી શકાય છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ રીતે સ્ટેટસ ચેક કરો

  • તમે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા કરદાતાઓ દ્વારા તમારી રિફંડની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકો છો. તેમાં PAN નંબર દ્વારા ચેક સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા પણ સામેલ છે.
  • આ માટે તમારે એકનોલેજમેન્ટ નંબર અને પાન નંબરની જરૂર પડશે.
  • સૌ પ્રથમ તમે આવકવેરા વેબસાઇટ www.incometax.gov.in પર ક્લિક કરો.
  • તમારા પાન કાર્ડની વિગતો અહીં દાખલ કરો.
  • ત્યારપછી ઈ-ફાઈલ વિકલ્પ પસંદ કરો.
  • પછી ઈન્કમ ટેક્સ પસંદ કર્યા પછી તેમાં View Filed Return વિકલ્પ પસંદ કરો.
  • પછી તમે તમારા ITR ની સ્થિતિ જોશો.
  • તમે તેના View Filed Return પર ક્લિક કરીને સરળતાથી સ્ટેટસ ચેક કરી શકો છો.

હવે 30 દિવસમાં જ ITRનું વેરિફિકેશન કરવુ પડશે

જો ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR Filing) 31 જુલાઈ સુધીમાં ભર્યુ છે તો તેનું વેરિફિકેશન પણ કરી લો. આ કામ પૂર્ણ કરવું એ ITR ફાઈલ કરવા જેટલું જ મહત્વપૂર્ણ છે. ખાસ વાત એ છે કે તમને ITR વેરિફિકેશન માટે આ વખતે માત્ર 30 દિવસનો સમય મળશે. પહેલા આ સમયગાળો 120 દિવસનો હતો તો પછી વિલંબ શાનો? ITR વેરિફિકેશન તરત જ કરાવો. આ કામ ઓનલાઈન પણ થઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમે બેંગલોર CPC ઓફિસને પત્ર મોકલીને પણ આ કામ કરી શકો છો. પરંતુ જ્યારે તમને આ સુવિધા ઘરે બેઠા મળી રહી છે, ત્યારે આટલી મહેનત શા માટે કરો.

120 દિવસની જગ્યાએ 30 દિવસની અંદર ITR વેરિફિકેશન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના વિશે સીબીડીટીએ જણાવ્યું છે. સીબીડીટીએ 29 જુલાઈ, 2022ના રોજ આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસની અંદર 1 ઓગસ્ટના રોજ ભરેલ ITRની ચકાસણી કરવી જરૂરી રહેશે. એટલે કે, જો તમે 31 જુલાઈ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો 30-દિવસનો નિયમ તમારી સાથે લાગુ થશે નહીં. જે લોકો 1 ઓગસ્ટ પછી ITR ફાઈલ કરશે, તેમણે 120 દિવસમાં નહીં પણ 30 દિવસમાં ITR વેરિફિકેશન કરવું પડશે.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">