NSC માં રોકાણ સારું રિટર્ન આપે છે પણ શું કર બચતનો મળશે લાભ? જાણો આવકવેરાનો નિયમ

કોઈપણ વ્યક્તિ એનએસસીમાં ઓછામાં ઓછી રૂ. 1000 અથવા રૂ. 100ના ગુણાંકમાં જમા કરી શકે છે. કોઈ મહત્તમ થાપણ મર્યાદા નથી. સૌથી મહત્વની બાબત એ છે કે તેના પર મળતી રકમમાં ટેક્સમાં છૂટનો લાભ મળે છે.

NSC માં રોકાણ સારું રિટર્ન આપે છે પણ શું કર બચતનો મળશે લાભ? જાણો આવકવેરાનો નિયમ
National Savings Certificate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 7:01 AM

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ ( National Savings Certificate – NSC ) એ બચત રોકાણનું સાધન છે જે કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકાય છે. NSC એ એક પ્રમાણપત્ર છે જે ખરીદવામાં આવે છે અને તેમાં રોકાણ કરવામાં આવે છે. આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. આથી પૈસા ગુમાવવાનું જોખમ રહેતું નથી અને વળતરની ખાતરી આપવામાં આવે છે. NSC ના વ્યાજ દર દર ત્રિમાસિક ગાળામાં નાણા મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવે છે. સરકાર આ દરની જાહેરાત કરે છે જેનો અમલ પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે. અત્યારે NSCનો વ્યાજ દર 6.8% પર ચાલી રહ્યો છે. વ્યાજના નાણાં વાર્ષિક ધોરણે NSC ખાતામાં જમા કરવામાં આવે છે. અગાઉ 5 વર્ષ અને 10 વર્ષ માટે NSC હતી પરંતુ હવે NSC માત્ર 5 વર્ષ માટે ચાલે છે 10 વર્ષ માટે નહીં.

કોઈપણ વ્યક્તિ એનએસસીમાં ઓછામાં ઓછી રૂ. 1000 અથવા રૂ. 100ના ગુણાંકમાં જમા કરી શકે છે. કોઈ મહત્તમ થાપણ મર્યાદા નથી. સૌથી મહત્વની બાબત એ છે કે તેના પર મળતી રકમમાં ટેક્સમાં છૂટનો લાભ મળે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ તમે NSCમાં રોકાણ કરેલી રકમ અથવા મુદ્દલ પર 1.5 રૂપિયા સુધીની ટેક્સ છૂટ મેળવી શકો છો. NSAC વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ છે. TDS કપાત કર્યા વિના વ્યાજ ચૂકવવામાં આવે છે. એટલે કે, NSC ના વ્યાજ પર કોઈ TDS કાપવામાં આવતો નથી અને વ્યાજના પૈસા પાકતી મુદતના સમયે કરવામાં આવે છે.

NSC વ્યાજ નિયમ

NSCમાં ગમે તેટલા પૈસાનું રોકાણ કરવામાં આવે તો તેના પૈસા 5 વર્ષ પછી વ્યાજ સાથે ઉમેરવામાં આવે છે. જો કે, ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે તે ધ્યાનમાં રાખવું પડશે કે ઉપાર્જિત વ્યાજ ITRમાં દર વર્ષે આવક તરીકે દર્શાવવું પડશે. CBDT નિયમ જણાવે છે કે દર વર્ષની ITRમાં NSCની વ્યાજની કમાણી દર્શાવવી જરૂરી છે. ધારો કે તમે NSCમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 6.8%ના દરે વ્યાજ મળી રહ્યું છે તો ITRમાં દર વર્ષે 6800 રૂપિયાની આવક દર્શાવવી જરૂરી રહેશે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

TDS કાપવામાં આવ્યો નથી

NSC પર કોઈ TDS કાપવામાં આવતો નથી અને 80C માં કર કપાતનો લાભ NSCના ઉપાર્જિત વ્યાજ પર ઉપલબ્ધ છે. પ્રથમ 4 વર્ષ માટે NSC માંથી કમાયેલ વ્યાજ ફરીથી રોકાણ કરવામાં આવે છે તેથી કર મુક્તિ આપવામાં આવે છે. જો કે, NSC 5 વર્ષ પૂરા થયા પછી ફરીથી રોકાણ કરી શકાતું નથી તેથી કમાયેલા વ્યાજ પર ટેક્સ સ્લેબ દરે કર લાદવામાં આવે છે. તમે NSC ઓનલાઈન ખરીદી શકતા નથી. તમારે તેને પોસ્ટ ઓફિસમાંથી જ ખરીદવું પડશે. પોસ્ટ ઓફિસ રૂ. 100, રૂ. 500, રૂ. 1000 અને રૂ. 10,000માં NSC જારી કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">