આગામી નાણાંકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં વધારાના મળી રહ્યા છે સંકેત, જાણો કેટલો થશે લાભ

જો પરિસ્થિતિ બરાબર રહે અને ભારત કોવિડ -19 ના ત્રીજી લહેરનો સામનો કરવામાં સક્ષમ બને તો ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી ઇન્ક્રીમેન્ટની અપેક્ષા રાખી શકે છે.

આગામી નાણાંકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં વધારાના મળી રહ્યા છે સંકેત, જાણો કેટલો થશે લાભ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 6:36 AM

ભારતીય કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા છે. નિષ્ણાંતો અનુસાર કંપનીઓ COVID-19 ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનની અસરમાંથી બહાર આવે તેવી અપેક્ષા છે. કંપનીઓ કોરોના સંકટથી ખરાબરીતે પ્રભાવિત થઈ હતી. જેની અસર કર્મચારી ઉપર પણ પડી છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે.

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં જે ક્ષેત્રોમાં પગારમાં વધારો કરવામાં આવી શકે છે તેમાં ઇ-કોમર્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. જો કે એરોસ્પેસ, હોટેલ્સ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોને રિકવર થવામાં થોડો સમય લાગશે.

જો પરિસ્થિતિ બરાબર રહે અને ભારત કોવિડ -19 ના ત્રીજી લહેરનો સામનો કરવામાં સક્ષમ બને તો ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી ઇન્ક્રીમેન્ટની અપેક્ષા રાખી શકે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે તેઓએ રોગચાળાને કારણે છટણી અથવા પગારમાં ઘટાડાનો સામનો કરવો પડયો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

આ અગાઉ નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 જુલાઈથી DA વધારીને 28 ટકા કરવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને અમલ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત પેન્શનરો પણ જુલાઈથી તેમના DRમાં 28 ટકાનો વધારો મેળવશે.

કોરોના રોગચાળાના પ્રથમ તબક્કામાં વેપાર પર નોંધપાત્ર અસર પડી હતી અને લોકોના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ અટક્યા હતા. જોકે આઇટી ક્ષેત્રના કર્મચારીઓનો પગાર હવે વધ્યો છે. આઇટી કંપની એક્સેન્ચર ઇન્ડિયા, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસીસે તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">