ભારતમાં ટ્રેનનુ વિશેષ મહત્વ છે. મોટાભાગના લોકો ટ્રેનમાં જ મુસાફરી કરતા હોય છે ત્યારે ટ્રેનની મુસાફરી માટે લીધેલી ટીકીટ તમને ફક્ત ટ્રેનમાં બેસવાનો અધિકાર જ નહી પરંતુ સાથે ઘણા લાભો પણ મળે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે તમે ટ્રેનની ટિકિટ ખરીદો છો, ત્યારે તમે કઈ સેવાઓનો લાભ લઈ શકો છો.
1 / 6
વીમો- જો તમે ટિકિટ બુક કરતી વખતે વીમો લો છો, તો તમને ઘણી પ્રકારની સુવિધાઓ મળે છે. ટ્રેન ટ્રાવેલ ઇન્શ્યોરન્સ હેઠળ, મૃત્યુ અથવા અસ્થાયી વિકલાંગતાની સ્થિતિમાં 10 લાખ રૂપિયા મળવા પાત્ર છે. આ વીમો ટ્રેન દુર્ઘટના અથવા મુસાફરી દરમિયાન કોઈ સમાન પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી છે. કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં, વીમાનું કવરેજ રૂ .7.5 લાખ સુધીનું છે. હોસ્પિટલમાં દાખલ થવા અને તે સમય દરમિયાન સારવાર માટે 2 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે. આ રકમ મૃત્યુ અને અપંગતા કવરેજ ઉપર છે. ટ્રેન અકસ્માત, ચોરી, લૂંટ કે આવી કોઈ પણ પરિસ્થિતિ માટે આ વીમા હેઠળ કવરેજ ઉપલબ્ધ છે. આ માટે તમારે માત્ર 49 પૈસા જ ખર્ચવા પડશે.
2 / 6
ફર્સ્ટ એઇડ બોક્સ- જ્યારે તમે ટ્રેનમાં જાઓ છો અને મુસાફરી દરમિયાન તમને દવા વગેરેની જરૂર પડે છે ત્યારે તમે તે ટીટીઈ પાસે માંગણી કરી શકો છો. આ સુવિધા રેલવે દ્વારા દરેક મુસાફરોને પૂરી પાડવામાં આવે છે.
3 / 6
વેઇટિંગ રૂમ- જો તમારી પાસે ટિકિટ હોય તો તમે તમારી ટિકિટના ક્લાસના આધારે સરળતાથી વેઇટિંગ રૂમમાં આરામ કરી શકો છો. આ માટે, તમને રેલવે દ્વારા સુવિધા આપવામાં આવે છે અને ટ્રેન આવે ત્યાં સુધી તમે અહીં બેસી શકો છો.
4 / 6
વાઇફાઇ- જો તમે ટ્રેનની રાહ જોઇ રહ્યા છો અને તમે સ્ટેશન પર છો તો તમે ફ્રી વાઇફાઇનો આનંદ માણી શકો છો. હવે આ સુવિધા મોટાભાગના રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે.
5 / 6
ક્લોક રૂમની સુવિધા- જે લોકો પાસે ટ્રેનની ટિકિટ છે તેઓ સ્ટેશન પર બનાવાયેલા ક્લોક રૂમનો ઉપયોગ કરી શકે છે અને પોતાનો સામાન જમા કરાવી શકે છે.