દેશમાં ઐતિહાસિક આર્થિક મંદીના ભણકારા! ઇન્ડિયન ઈકોનોમિકલ રેટિંગ એજન્સી ક્રિસિલે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતીય અર્થવ્યવસ્થામાં 9% ઘટાડાના આપ્યા સંકેત
કોરોનાના કહેર સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. મોટાભાગના દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત પણ આર્થિક સંકટમાંથી બાકાત નથી. ભારતીય ઈકોનોમિકલ રેટિંગ એજન્સી ક્રિસિલે અનુમાન રજુ કર્યું છે જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી 9 ટકા ઘટી શકે છે જે વિકાશશીલ દેશ ભારત માટે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. ક્રિસીલ […]
કોરોનાના કહેર સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. મોટાભાગના દેશ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત પણ આર્થિક સંકટમાંથી બાકાત નથી. ભારતીય ઈકોનોમિકલ રેટિંગ એજન્સી ક્રિસિલે અનુમાન રજુ કર્યું છે જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતનો જીડીપી 9 ટકા ઘટી શકે છે જે વિકાશશીલ દેશ ભારત માટે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે. ક્રિસીલ અનુસાર ભારતીય અર્થવ્યવસ્થામાં 9 ટકાનો ઘટાડો થાય તો તે 1950 પછીનો સૌથી મોટો ઘટાડો થશે.
કોરોના સંકટ ભારત માટે ચોથી મોટી મંદી છે અગાઉ ત્રણ વખત 1957–58, 1965–66 અને 1979-80માં ભારતીય અર્થવ્યવસ્થા મંદીનો ભોગ બની ચુકી છે પરંતુ એ તમામ વરસાદની અનિશ્ચિતતા અને તેના માઠાં પરિણામોના કારણે સર્જાઈ હતી પરંતુ હાલની સ્થિતિ અલગ છે. હાલના સમયમાં અર્થતંત્ર મહામારીની માર સહન કરી રહ્યું છે. કોરો લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારે કોરોના સંકટ સામે લડતા લોકોને તથા ઉદ્યોગોને રાહત આપવા માટે 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી પરંતુ હજુસુધી આ પેકેજની ખાસ અસરજોવા ન મળવાથી અર્થતંત્રમાં તેજી નજરે પડી નથી ત્યારે ભવિષ્યનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બની રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો