એપ્રિલ 1-14 દરમિયાન ભારતે 13.72 અબજ ડોલર નિકાસ કરી : વાણિજ્ય મંત્રાલય
ચાલુ વર્ષે 1 એપ્રિલથી 14 દરમિયાન દેશની નિકાસ(Exports) વધીને 13.72 અબજ ડોલર થઈ છે.
ચાલુ વર્ષે 1 એપ્રિલથી 14 દરમિયાન દેશની નિકાસ(Exports) વધીને 13.72 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના અસ્થાયી ડેટા દ્વારા આ માહિતી સામે આવી છે. મુખ્યત્વે એન્જિનિયરિંગ સાથે રત્ન અને આભૂષણ ક્ષેત્રમાં સારા પ્રદર્શનને કારણે નિકાસમાં વધારો થયો છે. ગયા વર્ષે 1 થી 14 એપ્રિલ દરમિયાન નિકાસનો આંકડો 3.59 અબજ હતો.
ગયા વર્ષે એપ્રિલમાં કોવિડ -19 ની દસ્તકના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે નિકાસમાં રેકોર્ડ 60 ટકાનો ઘટાડો થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન દેશની આયાત વધીને 19.93 અબજ ડોલર થઈ છે જે 14 એપ્રિલ 2020 દરમિયાન 6.54 અબજ ડોલર હતી. મંત્રાલય એપ્રિલ 2021 ના નિકાસના અંતિમ આંકડા મેના મધ્યમાં જાહેર કરશે.
માર્ચમાં નિકાસ 60.29 ટકા વધીને 34.45 અબજ ડોલર થઈ છે. પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21માં નિકાસ 7.26 ટકા ઘટીને 290.63 અબજ ડોલર થઈ છે.