સંકટના સમયમાં રાજ્યોને મળ્યો કેન્દ્રનો સાથ, સરકારે જાહેર કર્યું 40 હજાર કરોડનું ફંડ, જાણો ગુજરાતને કેટલું ફંડ મળ્યું

જીએસટીની આવકમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40 હજાર કરોડની લોન જાહેર કરી છે. અગાઉ 15 જુલાઈ, 2021ના ​​રોજ સરકારે 75 હજાર કરોડનું ભંડોળ બહાર પાડ્યું હતું.

સંકટના સમયમાં રાજ્યોને મળ્યો કેન્દ્રનો સાથ, સરકારે જાહેર કર્યું 40 હજાર કરોડનું ફંડ, જાણો ગુજરાતને કેટલું ફંડ મળ્યું
FM Nirmala Sitharaman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 10:34 PM

જીએસટી (GST)ની આવકમાં તંગીની ભરપાઈ માટે કેન્દ્રએ ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40,000 કરોડ રૂપિયા આપ્યા. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.15 લાખ કરોડ રૂપિયા લોનના સ્વરૂપમાં બહાર પાડવામાં આવ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સત્તાવાર કરવામાં આવેલી એક જાહેરાત મુજબ “નાણાં મંત્રાલયે જીએસટી વળતરની તંગીને પહોંચી વળવા માટે લોન સુવિધા હેઠળ રાજ્ય અને વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશો માટે આજે 40,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.

પ્રકાશિત કરાયેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ 15 જુલાઈ, 2021ના ​​રોજ રાજ્યો અને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે 75,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી હતી. વર્તમાન રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં GST વળતર સામે લોન તરીકે બહાર પાડવામાં આવેલી કુલ રકમ વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ગુજરાત માટે  5 વર્ષ માટેના કાર્યકાળ માટે 1927.34 કરોડ અને 2 વર્ષના કાર્યકાળ માટે 1353.24 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કુલ 3280.58 કરોડનું કુલ ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.  નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ અંદાજિત તંગીના 72 ટકાથી વધારેની રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.

કેન્દ્ર દર બે મહિને રાજ્યોને GST વળતર ચૂકવે છે. તે કુલ સેસ સંગ્રહમાંથી બહાર પાડવામાં આવે છે, જ્યારે તાજેતરની રકમ તેનાથી અલગ હોય છે. જીએસટી કાઉન્સિલની 43મી બેઠકમાં કેન્દ્રએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22 માટે તે 1.59 લાખ કરોડ રૂપિયાની લોન લેશે અને તેને રાજ્યોમાં વહેંચશે. અગાઉ નાણાંકીય વર્ષ 2020-21માં પણ સરકારે રાજ્યો માટે 1.10 લાખ કરોડનું ભંડોળ જાહેર કર્યું હતું.

 સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે

અહીં ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં (જીએસટી કલેક્શન) સરકારની કર આવક વધી છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ થયું છે. સરકારે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં 23 ટકા વધીને 1,17,010 લાખ કરોડ રૂપિયા થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર 2021માં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી કલેક્શનમાં થઈ રહેલો સતત વધારો સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે.

ઓગસ્ટ 2021માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2020માં તે 86,449 કરોડ રૂપિયા હતું. જુલાઈ 2021માં 1.16 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે જુલાઈ -2020માં GST કલેક્શન 87,422 કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન -2021માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 92,849 કરોડ રૂપિયા રહ્યું હતું.

આ પણ વાંચો :  રેલયાત્રીઓ કોવિડ માર્ગદર્શિકા અંગે જાણી લો આ મહત્વની વાત, નહીં તો થશે 500 રૂપિયાનો દંડ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">