હવે આધાર વેરીફીકેશન બાદ જ મળશે જીએસટી રિફંડ, CBIC જાહેર કર્યો આ નવો નિયમ

કરદાતાઓ GSTR-1 માં સપ્લાય ઇન્વોઇસ બતાવી દેતા હોય છે, પરંતુ તેઓ GSTR-3B રિટર્ન ફાઇલ કરતા નથી, જ્યારે આ ફોર્મમાંથી સરકારને ટેક્સ ચૂકવવામાં આવે છે. આ ટેક્સ બચાવવાનો પ્રયાસ છે.

હવે આધાર વેરીફીકેશન બાદ જ મળશે જીએસટી રિફંડ, CBIC જાહેર કર્યો આ નવો નિયમ
GST અંગે સરકારનો મોટો નિર્ણય (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:15 PM

જો તમે GST રિફંડ ક્લેમ કરવા માંગતા હોય તો તમારે તમારા આધારનું વેરીફીકેશન કરાવવું પડશે. સરકારે આ નિયમ ફરજિયાત બનાવ્યો છે. તેનો અર્થ એ છે કે જે લોકોના આધારનું વેરીફીકેશન કરવામાં આવ્યું નથી તેઓ જીએસટીનું રિફંડ મેળવી શકશે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ GST ના નિયમોમાં સુધારો કર્યો છે. જીએસટી હેઠળ કર ચોરી અટકાવવા માટે આ સુધારો કરવામાં આવ્યો છે.

હવે જીએસટી રિફંડ માત્ર બેંક ખાતામાં જ આપવામાં આવશે. જે પાનકાર્ડ પર જીએસટી રજીસ્ટ્રેશન થયેલું હશે અને બેંક ખાતું તેની સાથે લિંક થશે, તે ખાતામાં જ જીએસટી રિટર્ન આપવામાં આવશે.

કોણ GSTR-1 ફાઇલ કરી શકે છે ?

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

આ સંબંધિત સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી, 2022 ના રોજ, જે બીઝનેસ સમરી રિટર્ન ફાઇલ કરવામાં ડિફોલ્ટ થશે, તેઓ દર મહિને જીએસટી ચૂકવશે નહીં, તેઓ આગામી મહિના માટે જીએસટીઆર -1 ફાઇલ કરી શકશે નહીં. આ નિર્ણય જીએસટી કાઉન્સિલ 17 સપ્ટેમ્બરે યોજાયેલી બેઠક બાદ લેવામાં આવ્યો. આધાર વેરીફીકેશન સાથે જોડાયેલા નિર્ણયનો વિચાર પણ એ જ બેઠકમાં જ કરવામાં આવ્યો હતો.

AMRG એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રાજન મોહને એક પ્રતિષ્ઠિત મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કર ચોરી રોકવા માટે, સરકારે માલિક, ભાગીદારો, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, સંપૂર્ણ સમયના નિર્દેશકો અને અધિકૃત હસ્તાક્ષરો માટે આધાર વેરીફીકેશન ફરજિયાત કર્યું છે. જીએસટી માટે રિફંડ અરજીઓ દાખલ કરવા અથવા રજિસ્ટ્રેશન રદ કરવા માટે આધાર વેરીફીકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઈવાઈ ટેક્સ પાર્ટનરના અભિષેક જૈન કહે છે કે, સરકારી આવકની ચોરી અટકાવવા માટે સરકારે કરદાતાઓ માટે આધાર વેરીફીકેશન ફરજિયાત બનાવ્યું છે. હવે આ વેરીફીકેશન દ્વારા કરદાતાઓ જીએસટી ક્લેમ કરી શકશે. જૈનનું કહેવું છે કે આ પગલું જીએસટી ફ્રોડ રિફંડને અટકાવશે કારણ કે જે કરદાતાઓનું આધાર વેરીફાઈ કરવામાં આવ્યું છે, તેમને જ જીએસટી રિફંડ આપવામાં આવશે.

સરકારે આ પગલું શા માટે લીધું ?

જો કોઈ કરદાતા પાછલા મહિના માટે GSTR-3B ફાઇલ ન કરે તો તે GSTR-1 પણ ફાઇલ કરી શકશે નહીં. આ અંગે અભિષેક જૈનનું કહેવું છે કે આ પ્રતિબંધ ઘણો વિચાર કરીને લાદવામાં આવ્યો છે, કારણ કે તે એવા કેસોને અટકાવશે જેમાં નકલી માહિતી આપીને જીએસટી ફાઇલ કરવામાં આવે છે. કરદાતાઓ GSTR-1 માં સપ્લાય ઇન્વોઇસ બતાવી દેતા હોય છે, પરંતુ તેઓ GSTR-3B રિટર્ન ફાઇલ કરતા નથી, જ્યારે આ ફોર્મમાંથી સરકારને ટેક્સ ચૂકવવામાં આવે છે. આ ટેક્સ બચાવવાનો પ્રયાસ છે.

હવે જેમણે પાછલા મહિનાનું GSTR-3B ભર્યું છે, તેઓ આગામી મહિનાનું GSTR-1 ફોર્મ ભરી શકશે. હાલમાં, જો રજિસ્ટર્ડ વ્યક્તિએ છેલ્લા બે મહિનાથી ફોર્મ GSTR-3B માં રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તેને GSTR-1 સબમિટ કરવાની પણ મંજૂરી નથી.

આ પણ વાંચો :  નોકરીયાતો માટે મહત્વના સમાચાર, UAN થી આધાર લિંકની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવાઈ, આ રીતે કરો લિંક

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">