સરકારે પેટ્રોલમાં મિશ્રીત કરવા માટે ઇથેનોલની વધારી કિંમત, જાણો ભાવવધારા પાછળ શું છે કારણ

સરકારે બુધવારે પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

સરકારે પેટ્રોલમાં મિશ્રીત કરવા માટે ઇથેનોલની વધારી કિંમત, જાણો ભાવવધારા પાછળ શું છે કારણ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 11:51 PM

DELHI : સરકારે બુધવારે પેટ્રોલ (Petrol)માં મિશ્રણ કરવા માટે શેરડીમાંથી કાઢવામાં આવતા ઇથેનોલ (Ethanol)ના ભાવમાં 1.47 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો છે. ડિસેમ્બરથી શરૂ થતા માર્કેટિંગ વર્ષ 2021-22 માટે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે પેટ્રોલમાં વધુ ઇથેનોલ ઉમેરવાથી ક્રુડ ઓઈલના આયાત બિલમાં ઘટાડો થશે અને તેનાથી શેરડીના ખેડૂતો તેમજ સુગર મિલોને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA) એ શેરડીના રસમાંથી કાઢવામાં આવતા ઈથેનોલની કિંમત હાલ  62.65 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને  63.45 રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે. ડિસેમ્બર 2021થી શરૂ થતા સપ્લાય વર્ષથી કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

કંપનીઓ સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવ પર ઇથેનોલ ખરીદે છે સી-હેવી મોલાસીસમાંથી ઇથેનોલની કિંમત હાલના  45.69 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને  46.66 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. તે જ સમયે, બી-હેવીમાંથી ઇથેનોલની કિંમત 57.61 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 59.08 રૂપિયા કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાણકારી આપી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સરકાર દ્વારા નિર્ધારિત કિંમતે ઇથેનોલ ખરીદે છે.

ઠાકુરે જણાવ્યું હતું કે 2021-22 માર્કેટિંગ વર્ષ (ડિસેમ્બર-જાન્યુઆરી)માં પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણનો આંકડો 8 ટકા પર પહોંચી ગયો છે, અને આવતા વર્ષે તે 10 ટકા સુધી પહોંચવાની ધારણા છે. ભારત 2025 સુધીમાં પેટ્રોલ અને ઇથેનોલના મિશ્રણને 20 ટકા સુધી વધારવાની યોજના ધરાવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આરબીઆઈ ગવર્નરે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની પ્રશંસા કરી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે સરકારના આ નિર્ણય પર કહ્યું કે કેન્દ્ર સરકારનો એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો તાજેતરનો નિર્ણય મોંઘવારી ઘટાડવા માટે સકારાત્મક છે. તેમણે કહ્યું કે ખાદ્ય મોંઘવારી હવે નિયંત્રણમાં છે, પરંતુ કોર મોંઘવારી સતત વધી રહી છે.

આ સાથે જ, સરકારે બુધવારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)ને 17,408.85 કરોડ રૂપિયાની કમિટીડ પ્રાઈસ સપોર્ટને મંજૂરી આપી છે. આ ટેકો 2014-15 થી 2020-21 સુધીની સાત કપાસ સિઝન માટે છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બનેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં લેવામાં આવ્યો છે. CCEA એ કપાસની મોસમ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) 2014-15 થી 2020-21 દરમિયાન કપાસ માટે MSP કામગીરી હેઠળ નુકસાનની ભરપાઈ માટેના ખર્ચને મંજૂરી આપી છે.

આ પણ વાંચો :  જાણો દેશના પ્રથમ મહિલા સંચાલિત યુનિકોર્નના સંચાલક Falguni Nayar વિશે, જે Nykaa ના લિસ્ટિંગ સાથે વિશ્વની ધનિક મહિલાઓની યાદીમાં સ્થાન પામ્યા

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">