નવી નોકરીની સાથે ઊંચો પગાર પણ, જાણો IT અને FMCGથી પર્યટન સુધી દરેક ક્ષેત્રની સ્થિતિ

આઈટી, કોમ્યુનિકેશન્સ, પાવર, ફાર્મા અને એફએમસીજી એ પાંચ ક્ષેત્રો હતા, જેમના વેતન બિલમાં નાણાકીય વર્ષ 2021ના ​​તમામ ક્વાર્ટર દરમિયાન ક્યારેય ઘટાડો થયો ન હતો. આઈટી સેક્ટરમાં વેતન બિલ તમામ ક્વાર્ટર દરમિયાન સતત વધતું રહ્યું.

નવી નોકરીની સાથે ઊંચો પગાર પણ, જાણો IT અને FMCGથી પર્યટન સુધી દરેક ક્ષેત્રની સ્થિતિ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:07 PM

કોરોનાની પ્રથમ અને બીજી લહેરે વિશ્વભરના દેશોમાં તબાહી મચાવી હતી. ખાસ કરીને અર્થતંત્ર આ મહામારીને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયું હતું. હવે ભારત સહિત અન્ય દેશો પરિસ્થિતીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાને કારણે મોટી સંખ્યામાં લોકોએ નોકરી ગુમાવી છે. જેમની નોકરીઓ બચી છે તે લોકોના પગારમાં કાપ મુકાયો છે.

રાહતની વાત છે કે દેશ કોરોનાની અસરમાંથી ઉભરી રહ્યો છે. ત્યારે હવે કંપનીઓએ પણ ફરી ભરતી કરવાનું શરૂ કર્યું છે. કંપનીઓ નવી ભરતી પણ કરી રહી છે સાથે જ સારો પગાર પણ ઓફર કરી રહી છે. આ સાથે જૂના કર્મચારીઓને પણ ઈન્ક્રીમેન્ટ મળ્યું છે. જો આપણે કેન્દ્રીય બેંક આરબીઆઈના રિપોર્ટ પર નજર કરીએ તો નાણાકીય વર્ષ 2020-21ના ​​છેલ્લા ત્રિમાસિક ગાળામાં કંપનીઓનો નફો ફરી વધવા લાગ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ફરીથી ભરતી શરૂ થવાથી સારી અસર

અર્થવ્યવસ્થા અંગે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં પણ કંપનીઓના નફામાં વધારો જોવા મળી રહ્યો છે. આરબીઆઈના અહેવાલ મુજબ 16 સેક્ટરોમાં વેતન બીલ એટલે કે પગાર – ભથ્થાંમાં પણ વધારો થયો છે. આનું મુખ્ય કારણ ભરતી ફરી શરૂ થવી અને પગારમાં વાર્ષિક વધારો છે. વેતન બિલમાં સૌથી વધુ વધારો કાપડ ક્ષેત્ર (37.7 ટકા) અને સૌથી ઓછો વધારો પરિવહન (1.8 ટકા) ક્ષેત્રમાં જોવા મળ્યો હતો.

એપ્રિલથી જૂન 2021 સુધીમાં સુધારો

17 ઓગસ્ટના આરબીઆઈના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “છેલ્લા પાંચ ક્વાર્ટરમાં સતત વધારા સાથે કંપનીઓનો પગાર અને ભથ્થામાં ખર્ચ વધ્યો છે, જે ભરતીમાં વધારો થયાનો સંકેત દર્શાવે છે. આઈટી અને ઓટો સેક્ટરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. એ જ રીતે 2021ના ​​એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન કાપડ ઉદ્યોગમાં વેતન બિલ 37.7 ટકા વધ્યું હતું. જોકે પરિવહન ક્ષેત્રે સૌથી ઓછી વૃદ્ધિ જોવા મળી હતી. તેમાં ફક્ત 1.8 ટકા જ વધારો થયો.

ટેક્સટાઈલ પછી ઓટો સેક્ટરનો નંબર

આરબીઆઈનો રિપોર્ટ કહે છે કે ટેક્સટાઈલ સેક્ટર (37.7 ટકા ઉછાળો) પછી ઓટો સેક્ટરનો નંબર આવે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેનું વેતન બિલ 25.5 ટકા વધ્યું છે. કોરોના પછી વાહનોનું વેચાણ વધ્યું, જેના કારણે આ ક્ષેત્રમાં નોકરીઓ વધી. એ જ રીતે, મેટલ અને માઈનિંગ તેમજ ગ્રાહક સમાન વિસ્તારોમાં વેતન બિલમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે.

આ પાંચ સેક્ટરમાં કોઈ ઘટાડા વગર તેજી આવી

આઈટી, કોમ્યુનિકેશન્સ, પાવર, ફાર્મા અને એફએમસીજીએ પાંચ ક્ષેત્રો હતા, જેમના વેતન બિલમાં નાણાકીય વર્ષ 2021ના ​​તમામ ક્વાર્ટર દરમિયાન ક્યારેય ઘટાડો થયો ન હતો. આઈટી સેક્ટરમાં વેતન બિલ તમામ ક્વાર્ટર દરમિયાન સતત વધતું રહ્યું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 16.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના મહામારી દરમિયાન ફાર્મા સેક્ટરને સારો નફો થયો.

FMCG, પાવર અને કોમ્યુનિકેશન સેક્ટર

એફએમસીજી સેક્ટરના વેતન બિલમાં એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન 10.6%નો વધારો થયો છે. રોગચાળાને કારણે વીજ ક્ષેત્રમાં વપરાશ ઓછો થયો, પરંતુ નાણાકીય વર્ષ 2021 દરમિયાન તમામ ક્વાર્ટરમાં તેનું વેતન બિલ વધ્યું. આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 11.6%નો વધારો થયો છે. તેવી જ રીતે સંચાર ક્ષેત્રના વેતન બિલમાં 7.4 ટકાનો વધારો થયો છે.

પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે ખરાબ અસર

પરિવહન ક્ષેત્રે સૌથી ઓછો 1.8 ટકાનો વૃદ્ધિદર જોયો. પરિવહન પછી કોરોના મહામારીની સૌથી ખરાબ અસર પ્રવાસન ક્ષેત્ર પર પડી. ગયા નાણાકીય વર્ષના ચાર ક્વાર્ટર દરમિયાન તેના વેતન બિલમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં 4.3 ટકાનો વધારો થયો છે, જે સુધારો દર્શાવે છે.

સતત સુધારાના સંકેતો

કેન્દ્રીય બેન્ક RBIએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે અર્થતંત્રમાં ફરી તેજી આવવાના સંકેતો મળી રહ્યા છે. દેશની 1,427 લિસ્ટેડ નોન-ફાઈનાન્સિયલ કંપનીઓના રિપોર્ટના પરિણામો અનુસાર આ વર્ષના આધાર પર જૂન ક્વાર્ટરમાં તેમના વેચાણમાં 57 ટકાનો વધારો થયો છે. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તેમાં 34 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે દેશનું અર્થતંત્ર ફરી વેગ પકડશે.

આ પણ વાંચો :  રાજ્યમાં 27 લાખથી વધુ જનધન ખાતા બંધ થયા, તમારું ખાતું બંધ ન થાય તેના માટે આટલું ધ્યાન રાખો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">