રાહતના સમાચાર : નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પરત લેવાયો
1 એપ્રિલની સવાર આમઆદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
1 એપ્રિલની સવાર આમઆદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી. દેશના કરોડો લોકો માટે આ એક મોટી રાહત સમાચાર છે.
Interest rates of small savings schemes of GoI shall continue to be at the rates which existed in the last quarter of 2020-2021, ie, rates that prevailed as of March 2021. Orders issued by oversight shall be withdrawn. @FinMinIndia @PIB_India
— Nirmala Sitharaman (@nsitharaman) April 1, 2021
આ અગાઉ બુધવારે સરકારે 1 એપ્રિલ 2021 થી સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ નાણાં પ્રધાને કહ્યું કે હવે તમામ યોજનાઓ પરનો વ્યાજદર તે જ રહેશે જે ગઈકાલે હતો.
સીતારામને કહ્યું કે, ભારત સરકારની નાની બચત યોજનાઓ પરનો વ્યાજ દર તે જ રહેશે, જે નાણાકીય વર્ષ 2020-2021 ના અંતિમ ક્વાર્ટરમાં હતો, એટલે કે માર્ચ 2021 નો વ્યાજ દર હજી પણ વધુ ઉપલબ્ધ થશે. જારી કરાયેલા ઓર્ડર પરત ખેંચવામાં આવશે.
કંઈ યોજનામાં કેટલું વ્યાજ મળશે
સેવિંગ ડિપોઝીટ | 4.0% | વાર્ષિક |
1 વર્ષની ડિપોઝીટ | 5.5% | ત્રિમાસિક |
2 વર્ષની ડિપોઝીટ | 5.5% | ત્રિમાસિક |
3 વર્ષની ડિપોઝીટ | 5.5% | ત્રિમાસિક |
5 વર્ષની ડિપોઝીટ | 6.7% | ત્રિમાસિક |
5 વર્ષની રીકરીંગ ડિપોઝીટ | 5.8% | ત્રિમાસિક |
સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ | 7.4% | ત્રિમાસિક |
મંથલી ઇન્કમ એકાઉન્ટ | 6.6% | ત્રિમાસિક |
NSC | 6.8% | વાર્ષિક |
PPF | 7.1% | વાર્ષિક |
કિસાન વિકાસ પાત્ર | 6.9% (124મહિના ) | વાર્ષિક |
સુકન્યા સમૃદ્ધિ યોજના | 7.6% | વાર્ષિક |