GOLD : સોનામાં Import Duty ઘટવાથી રોકાણકાર અને ઝવેરીઓથી લઈ સરકારને લાભ થશે, દાણચોરી ઘટવાથી સરકારની આવક વધશે
બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5% થી ઘટાડીને 7.5% કરવાથી સોના(Gold)ના ગેરકાયદે વેપાર અને સોનાની દાણચોરી ઘટશે. ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આનાથી સરકારની આવકમાં વધારો થશે.
બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી 12.5% થી ઘટાડીને 7.5% કરવાથી સોના(Gold)ના ગેરકાયદે વેપાર અને સોનાની દાણચોરી ઘટશે. ઇન્ડિયન રેટિંગ્સ એન્ડ રિસર્ચ (Ind-Ra) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આનાથી સરકારની આવકમાં વધારો થશે. ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી લાંબા ગાળે સોનાની માંગમાં વધારો થશે કારણ કે તેનાથી ઘરેણાંની કિંમતમાં ઘટાડો થશે અને ગ્રાહકોની ખરીદીમાં વધારો થશે.
વર્ષ 2019 – 20 માં સોનામાં ખોટી રીતે આવ્યો હતો ઉછાળો સરકારે આવક વધારવા જુલાઈ 2019 માં રજૂ કરેલા બજેટમાં સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી 10% થી વધારીને 12% કરી હતી. આ સ્થિતિમાં સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળ્યું હતું. Ind-Raના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2019-20માં દેશમાં 150 થી 180 ટન સોનું ખોટી રીતે દાખલ થયું હતું. આ જથ્થો સત્તાવાર માધ્યમો થકી આવેલા 600 થી 700 ટન સોનાનો 1/4 હિસ્સો છે. Ind-Ra માને છે કે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાથી ઓર્ગેનાઇઝડ ક્ષેત્રના ઝવેરીઓને ફાયદો થશે.
ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે પ્રતિ ગ્રામ દીઠ રૂ.120 ઘટાડો થયો સોનાની આયાત 2020 માં એક દાયકાની નીચી સપાટીએ પહોંચી હતી પરંતુ ચોથા ત્રિમાસિક ગાળામાં તે વધી હતી. નાણાકીય વર્ષ 2020-21 ના ત્રીજા ક્વાર્ટરમાં જ્યારે તેની કિંમત પ્રતિ ગ્રામ 5000 રૂપિયાથી વધુ હતી, ત્યારે મોટાભાગના ઝવેરીઓનું વેચાણ વધ્યું હતું. બજેટમાં કરવામાં આવેલી ઘોષણા સાથે અસરકારક રીતે ઈમ્પોર્ટ ડ્યુટીમાં લગભગ 2.5 ટકાનો ઘટાડો થવાથી ભાવ પ્રતિ ગ્રામ રૂ.120 ઘટ્યો છે.
વર્ષ 2020-21માં સોનાનો ભાવ 15-20% વધશે સોનાના ભાવમાં તાજેતરના ઘટાડા છતાં નાણાકીય વર્ષ 2020-21માં તે ઉચ્ચ સ્તરે છે. Ind-Ra અનુસાર, 2020-21માં સોનાનો ભાવ પાછલા વર્ષ કરતા 15-20% વધારે હશે અને ઇન્વેન્ટરી ગેઇનનો થોડો ભાગ કિંમતમાં કામચલાઉ ઘટાડો થશે.
ઓર્ગેનાઇઝડ જ્વેલરી ક્ષેત્રને ઓછી ઈમ્પોર્ટ ડ્યુટીથી રાહત રિપોર્ટ અનુસાર, આયાત ડ્યુટીમાં ઘટાડાથી સંગઠિત ક્ષેત્રના ઝવેરીઓને રાહત મળી છે કારણ કે સોનાના ગેરકાયદે વેપારની સ્પર્ધા ઓછી થશે. Ind-Ra કહે છે કે સરકારે SEBIને ગોલ્ડ બુલિયન એક્સચેંજનું નિયમનકાર બનાવવાની બજેટમાં જાહેરાત કરી છે તે આ ક્ષેત્રને સંગઠિત બનાવવા તરફ આગળ વધશે.