દિવાળીમાં સોના-ચાંદીની બમ્પર ખરીદી કરી થઇ, જાણો કેટલા કરોડના દાગીનાનું થયું વેચાણ

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટે ખરીદદારોની યાદીમાં સોનું ટોચ પર છે. આ વખતે આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. જ્વેલર્સે પણ ખરીદદારોમાં ટ્રેન્ડ જોયો છે.

દિવાળીમાં સોના-ચાંદીની બમ્પર ખરીદી કરી થઇ, જાણો કેટલા કરોડના દાગીનાનું થયું વેચાણ
The gold and jewelery market shines during the festive season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 9:36 AM

બે વર્ષની સુસ્તી બાદ આખરે તહેવારોની સીઝનમાં સોના અને ઝવેરાતનું બજાર ચમક્યું છે. કોવિડ બાદ આ વખતે દિવાળીમાં લોકોએ જોરદાર ખરીદી કરી છે. આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં આગામી કેટલાક મહિનામાં વૈશ્વિક મંદીની આશંકા અને સોનાના ઓછા ભાવ(Gold Rate) વચ્ચે સોના અને ચાંદીનું વેચાણ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ઉદ્યોગ મંડળ ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના અંદાજ મુજબ ધનતેરસ દરમિયાન સોના અને ચાંદીના સિક્કાની સૌથી વધુ માંગ હતી. આ સિવાય સોનાની લગડીઓના વેચાણે આ વખતે નવી ઊંચાઈ હાંસલ કરી છે.

સોનાની માંગ ઉચ્ચ સ્તરે પહોંચી

એક મીડિયાના અહેવાલ અનુસાર AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યું કે  ‘ભારતીય ગોલ્ડ ઈન્ડસ્ટ્રી કોવિડ સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. કારણ કે ભારતમાં સોનાની માંગ તેના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આર્થિક પ્રવૃતિમાં મજબૂત તેજી અને ઉપભોક્તા માંગમાં સુધારા બાદ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાં ભારતની સોનાની માંગમાં 80 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

AIJGFના અનુમાન મુજબ, દેશમાં ધનતેરસ અને દિવાળી દરમિયાન સોના અને ચાંદીના સિક્કા, મૂર્તિઓ અને વાસણો અનેઘરેણાનું વેચાણ 25,000 કરોડ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. શનિવાર (22 ઓક્ટોબર) અને રવિવારે (23 ઓક્ટોબર) ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કોવિડ રોગચાળાને કારણે બજારમાં બે વર્ષની મંદી પછી, બજારોમાં ગ્રાહકોના ધસારાએ વેપારીઓને ઉત્સાહિત કર્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટે ખરીદદારોની યાદીમાં સોનું ટોચ પર છે. આ વખતે આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. જ્વેલર્સે પણ ખરીદદારોમાં ટ્રેન્ડ જોયો છે. સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના MD અને CEO સુવંકર સેન કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ફર્મે ધનતેરસના દિવસે ખરીદી માટે જ્વેલરીની ઘણી પ્રી-બુકિંગ જોઈ છે.

બજારમાં ખરીદદારોની ભીડ જામી હતી

ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એટલા માટે લોકો મોટા પાયે સોના અને સોનાના દાગીના ખરીદે છે. કોવિડના તમામ નિયંત્રણોમાંથી મુક્ત થયા બાદ આ વખતે ધનતેરસના દિવસે ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થવાની છે. આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં પણ સોનાનું વેચાણ વધશે તેવી વેપારીઓની અપેક્ષા છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">