GoAir IPO: 3000 કરોડના લક્ષય સાથે કંપની રોકાણની ઓફર લાવશે , જાણો શું છે એરલાઇન્સ કંપનીના પ્લાનિંગ

વાડિયા ગ્રૂપની GoAir એ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે IPO માટે દસ્તાવેજ રજુ કર્યા છે.

GoAir IPO: 3000 કરોડના લક્ષય સાથે કંપની રોકાણની ઓફર લાવશે , જાણો શું છે એરલાઇન્સ કંપનીના પ્લાનિંગ
GoAir IPO
Follow Us:
| Updated on: May 15, 2021 | 9:29 AM

વાડિયા ગ્રૂપની GoAir એ માર્કેટ રેગ્યુલેટર SEBI પાસે IPO માટે દસ્તાવેજ રજુ કર્યા છે. IPOથી કંપની 3000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. GoAirએ 13 મેના રોજ GO FIRST નામથી તેની એરલાઇન્સને REBRANDING કરી છે . રિબ્રાન્ડિંગ એ કંપનીની IPO સ્ટ્રેટેજીનો એક ભાગ છે. GoAir દ્વારા ફાઇલ કરાયેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) મુજબ, કંપનીએ ગો ફર્સ્ટ ટ્રેડમાર્ક અને લોગોની નોંધણી માટે પણ અરજી કરી છે. એરલાઇને કહ્યું કે તેણે નવા બ્રાન્ડ નેમ અને ટ્રેડમાર્ક્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

આ IPO દ્વારા વડિયા ગ્રુપ GO AIRમાં તેની 30 ટકા હિસ્સો વેચી શકે છે. કંપની 2017 થી આઇપીઓ લોંચ કરવાનું વિચારી રહી છે પરંતુ તે હજી સુધી સફળ થઇ નથી. જો કે, તાજેતરમાં દેશના પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે કંપનીએ ફરી એકવાર આઈપીઓ લોન્ચ કરવાની યોજનાને પુનર્જીવિત કરી છે.

GoAir 2005 માં શરૂ કરાઈ હતી. તેના કાફલામાં 50 થી વધુ વિમાન છે. આ IPO પર એટલે નજર રહેશે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના રોગચાળા અને લોકડાઉનને કારણે ઉડ્ડયન ક્ષેત્ર માટે ખૂબ જ પડકારજનક સમય રહ્યો છે. GoAir ને પણ અસર થઈ છે છતાં કંપનીએ રિબ્રાન્ડિંગ સાથે આઈપીઓ લાવવાની યોજના બનાવી છે. ડીઆરએચપીમાં, કંપનીએ કહ્યું છે કે આઇપીઓનું સંચાલન આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, સિટી ગ્રુપ અને મોર્ગન સ્ટેનલી દ્વારા કરવામાં આવશે. GoAir કહે છે કે નવી બ્રાન્ડ હેઠળની સંપૂર્ણ કામગીરી બદલાવની પ્રક્રિયામાં છે. નવા બ્રાન્ડ સાથે અમે ગ્રાહકોને વધુ સારી રીતે જોડી શકીએ છીએ.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે ગોએઅરની 27 સ્થળો માટે દિવસમાં 300 ફ્લાઇટ્સ છે અને કંપનીના સ્થાનિક મુસાફરોના ટ્રાફિકમાં 8.6% હિસ્સો છે. જો ગોએઅરનો આઈપીઓ આવે છે, તો કંપનીનું વેલ્યુએશન સ્પાઇસ જેટથી ઓછું હશે. પાછલા 6 મહિનામાં ઈન્ડિગોની માલિકીની કંપની ઇન્ટર ગ્લોબ એવિએશનનો શેર 80% વધ્યો છે તે જ સમયે, સ્પાઇસ જેટના શેર આ સમયગાળા દરમિયાન 90% વધ્યા છે.

હાલ બે એરલાઇન્સ લિસ્ટેડ છે એક્સચેન્જમાં હાલમાં માત્ર બે ભારતીય એરલાઇન્સ, સ્પાઇસ જેટ અને ઈન્ડિગોની લિસ્ટ છે અને તેના પર ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું છે. આ બંને સિવાય બીજી એરલાઇન જેટ એરવેઝ છે જે નાણાકીય સંકટને કારણે એપ્રિલ 2019 માં બંધ થઈ હતી અને કિંગફિશર એરલાઇન્સ પણ પહેલા એક્સચેંજમાં લિસ્ટ થઈ હતી. ભારતમાં સાત મોટી એરલાઇન્સ ઘરેલું ફ્લાઇટ્સ સર્વિસ પૂરી પાડે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">