ગૌતમ અદાણીની કંપનીનો નફો 76% વધ્યો, જાણોઆવકમાં કેટલો થયો વધારો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે અદાણીની કમાણી એક દિવસમાં વધીને 5.20 બિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ રકમ 40,884 કરોડ રૂપિયા છે.

ગૌતમ અદાણીની કંપનીનો નફો 76% વધ્યો, જાણોઆવકમાં કેટલો થયો વધારો
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 8:45 AM

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અદાણી ગ્રુપ(Adani Group)ની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AIL) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 76.48 ટકા વધીને રૂ. 468.74 કરોડ થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝે ગુરુવારે શેરબજારને આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે ઓપરેટિંગ આવકમાં વધારાને કારણે તેનો નફો વધ્યો છે. તેના કારણે કંપનીએ અગાઉના નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 265.60 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની ઓપરેટિંગ આવક વધીને રૂ. 41,066.43 કરોડ થઈ છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 12,578.77 કરોડ હતો. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જૂથ AELના સ્ટ્રેટેજી મોડલનો લાભ લેવા માગે છે. AEL એ અદાણી ગ્રુપની પેટાકંપની છે.

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી ઇન્ડસ્ટ્રી અને બિઝનેસના ક્ષેત્રમાં છવાયેલા છે. ગૌતમ અદાણી હાલમાં વિશ્વના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાને છે. છેલ્લા ઘણા દિવસોથી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં તેમનું ચોથું સ્થાન યથાવત છે. હાલમાં તેઓ એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. એટલું જ નહીં ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

અદાણીની સંપત્તિમાં વધારો થયો

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ દર્શાવે છે કે અદાણીની કમાણી એક દિવસમાં વધીને 5.20 બિલિયન ડોલર થઈ ગઈ છે. ભારતીય ચલણમાં આ રકમ 40,884 કરોડ રૂપિયા છે. જ્યારે તેની કુલ કમાણી 124 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. જો આપણે એક વર્ષનો હિસાબ જોઈએ તો અદાણીની નેટવર્થમાં 47 બિલિયન ડોલરનો વધારો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મીડિયા અહેવાલો અનુસાર અદાણી ગ્રુપ રાજસ્થાનમાં 20 હજાર મેગાવોટ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપી રહ્યું છે જેમાં સૌર અને પવન ઉર્જા સાથે થર્મલ-હાઇડ્રો પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ  20 થી વધુ પાવર પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ પૂર્ણ થઈ ગયું છે અને જમીન અધિગ્રહણ સિવાય ઘણી ટેકનિકલ સમસ્યાઓમાં ઘણા પ્રોજેક્ટ અટવાયેલા છે. અદાણી ગ્રુપ રાજસ્થાનના જેસલમેર અને બાડમેરમાં મોટા ભાગના પ્રોજેક્ટ સ્થાપી રહ્યું છે. તે જ સમયે, કવાઈ, બારાનમાં 1,200 મેગાવોટ પાવર પ્રોજેક્ટ પણ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તાજેતરમાં ​​અદાણી એન્ટરપ્રાઇઝિસની વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપ ભારતમાં રોકાણ કરવાથી ક્યારેય ડર્યું નથી અને અહીં અમે અમારા રોકાણમાં વધારો કરવાનું ચાલુ રાખીશું. અમારું લક્ષ્ય આગામી વર્ષોમાં 70 બિલિયન ડોલરથી વધુ ખર્ચવાનું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">