Gautam Adani ને પડી શકે છે 937 કરોડનો ફટકો, જાણો શું છે મામલો? અને કંપનીની સ્થિતિને કેટલી પડશે અસર
ગૌતમ અદાણી(Gautam Adani)ની માલિકીની દેશની બીજી સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports and Special Economic Zone Ltd) કહ્યું છે કે તેને મ્યાનમારમાં તેના એક પ્રોજેક્ટને છોડી દેવો પડશે
ગૌતમ અદાણી(Gautam Adani)ની માલિકીની દેશની બીજી સૌથી મોટી કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડે(Adani Ports and Special Economic Zone Ltd) કહ્યું છે કે તેને મ્યાનમારમાં તેના એક પ્રોજેક્ટને છોડી દેવો પડશે અને તેને રોકાણ ગયા ખાતે લખવું પડશે. જો આ પ્રોજેક્ટમાં યુ.એસ.ના પ્રતિબંધોનું ઉલ્લંઘન જોવા મળે છે તો કંપનીએ તેને છોડી દેવું પડી શકે છે. કંપનીએ તેના પર અત્યાર સુધીમાં લગભગ 127 મિલિયન ડોલર (લગભગ 937 કરોડ રૂપિયા) નું રોકાણ કર્યું છે.
કંપનીએ મંગળવારે એક્સચેન્જને આપેલી માહિતીમાં આ વાત કરી છે. કંપનીએ કહ્યું કે, જો મ્યાનમારને Office of Foreign Assets Control (OFAC) હેઠળ પ્રતિબંધિત દેશ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા જો પ્રોજેક્ટ હાલના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય છે તો કંપની તેને છોડી દેવાની અને રોકાણ બંધ ખાતે લખી દેવાની યોજના ધરાવે છે. .
અમેરિકન પ્રતિબંધની અસર OFAC અમેરિકન ટ્રેઝરી વિભાગનો એક ભાગ છે જે દેશની વિદેશ નીતિના આધારે આર્થિક અને વેપાર પ્રતિબંધો લાદી દે છે. 1 ફેબ્રુઆરીએ મ્યાનમારમાં લશ્કરી બળવો થયો અને દેશમાં વ્યાપક વિરોધને કચડી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમાં સેંકડો લોકોનાં મોત નીપજ્યાં છે. આની દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે અને મ્યાનમાર સેનાના અધિકારીઓ અને લશ્કરી નિયંત્રિત સંસ્થાઓ પર પ્રતિબંધો લગાવાયા છે.
ગયા વર્ષે યંગોન ઇન્ટરનેશનલ ટર્મિનલ બનાવવાનો અને સંચાલન કરવાનો કરાર અદાણી પોર્ટ્સે મેળવ્યો હતો. કંપનીનું કહેવું છે કે તે એક સ્વતંત્ર પ્રોજેક્ટ છે જેની સંપૂર્ણ માલિકી કંપનીની છે. ઔસ્ટ્રેલિયન માનવ અધિકાર સંગઠન દ્વારા માર્ચમાં એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. દસ્તાવેજોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે અદાણીની કંપની આ પ્રોજેક્ટ માટે મ્યાનમાર ઇકોનોમિક કોર્પોરેશનને જમીન યુઝ ફી તરીકે ૩ કરોડ ડોલર ચૂકવશે.
12.7 કરોડ ડોલરનું રોકાણ અદાણીની કંપનીએ કહ્યું કે તેણે આ પ્રોજેક્ટ પર ૧૨.૭ કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. આમાંથી ૯ કરોડ ડોલર જમીનની લીઝ માટે સ્પષ્ટ ચુકવણી તરીકે આપવામાં આવ્યા છે તેમજ આશરે 300–350 લોકોએ સ્થળ પર નોકરી પર રાખ્યા છે. કંપનીનું કહેવું છે કે જો તે આ રકમ બંધ ખાતે લખે છે તો તે વધુ ફરક પડશે નહીં કારણ કે તે કંપનીની કુલ સંપત્તિના માત્ર 1.3 ટકા છે.