31 માર્ચે પણ બાબા રામદેવની કંપનીને પડ્યો ફટકો, બે દિવસમાં થઇ ગયું આટલું મોટું નુકસાન

યોગગુરુ રામદેવની કંપની રૂચી સોયા ભારતીય શેર બજારના બીએસઈ સૂચકાંકમાં લીસ્ટેડ છે. આ કંપનીના શેરના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે.

31 માર્ચે પણ બાબા રામદેવની કંપનીને પડ્યો ફટકો, બે દિવસમાં થઇ ગયું આટલું મોટું નુકસાન
Baba Ramdev
Follow Us:
| Updated on: Apr 01, 2021 | 11:39 AM

નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ આ વર્ષે શેર માર્કેટ માટે સારો દિવસ નહોતો. શેરબજારની સાથે યોગગુરુ રામદેવની કંપનીને પણ આ દિવસે ઘણું નુકસાન થયું છે.

યોગગુરુ રામદેવની કંપની રૂચી સોયા ભારતીય શેર બજારના બીએસઈ સૂચકાંકમાં લીસ્ટેડ છે. આ કંપનીના શેરના ભાવમાં ફરી એકવાર ઘટાડો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપનીના શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં શેરનો ભાવ રૂપિયા 641.35 છે. તે જ સમયે, કંપનીની માર્કેટ મૂડી 18,973.76 કરોડ રૂપિયા છે. સપ્તાહના અંતિમ દિવસે રૂચિ સોયાની માર્કેટ મૂડી 19,145 કરોડ રૂપિયા હતી. આ દ્રષ્ટિકોણથી માર્કેટ મૂડીમાં 172 કરોડનો ઘટાડો થયો છે.

ગયા સોમવારે શેરબજારમાં હોળીનાં કારણે વેપાર થયો ન હતો. તેનો અર્થ એમ છે કે બાબા રામદેવને આ નુકસાન બે વ્યાવસાયિક દિવસનું છે. આપને જણાવી દઈએ કે પતંજલિ આયુર્વેદે રૂચી સોયાને વર્ષ 2019 માં 4,350 કરોડમાં અધિગ્રહણ કરી લીધી હતી. આ પછી, રૂચી સોયાના શેરનો ભાવ 29 જૂન 2020 ના રોજ રૂ. 1,535 ના સ્તરે પહોંચ્યો હતો. આ રીતે જોવા જઈએ તો રૂચી સોયાના શેરના ભાવમાં અડધાથી વધુ ઘટાડો થયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું છે શેરબજારના હાલ

વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે બીએસઈ સેન્સેક્સ નાણાકીય વર્ષના અંતિમ દિવસે 627 પોઇન્ટ તૂટ્યો હતો. 30 શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ 627.43 અંક એટલે કે 1.25 ટકા તૂટીને 49,509.15 ના સ્તર પર બંધ થયો છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 154.40 પોઇન્ટ એટલે કે 1.04 ટકા તૂટીને 14,690.70 પર બંધ રહ્યો છે.

એચડીએફસી બેંક અને એચડીએફસીમાં સેન્સેક્સના શેરમાં ઘટાડો થયો છે. તેમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત પાવર ગ્રીડ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી, કોટક બેંક, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસીસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમયે નફાકારક શેરોમાં આઇટીસી, બજાજ ફિનઝર્વ, એચયુએલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ટીસીએસ હતા.

હકીકતમાં કોવિડ -19 કેસમાં વધારો થવાથી રોકાણકારો ચિંતામાં મુકાયા છે. આ જ કારણ છે કે નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેર બજારને પણ નુકસાન થયું છે.

આ પણ વાંચો: Corona Vaccine: વેકિસન લીધા બાદ પણ કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, જાણો શું છે કારણ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">