SEBIના નવા બોસની શોધ, નાણા મંત્રાલયે માંગી અરજીઓ

નાણા મંત્રાલય સેબીના નવા બોસની શોધમાં છે. વર્તમાન અધ્યક્ષ અજય ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી 2022માં સમાપ્ત થાય છે.

SEBIના નવા બોસની શોધ, નાણા મંત્રાલયે માંગી અરજીઓ
Securities and Exchange Board of India - SEBI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:57 PM

નાણા મંત્રાલયે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના અધ્યક્ષ પદ માટે અરજીઓ મંગાવી છે. સેબીના વર્તમાન વડા અજય ત્યાગીનો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. ત્યાગી ભારતીય વહીવટી સેવા (IAS)ના 1984 બેચના હિમાચલ પ્રદેશ કેડરના અધિકારી છે. તેમને 1 માર્ચ, 2017ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે ત્રણ વર્ષના સમયગાળા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને છ મહિના માટે સેવાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું. ત્યાગીનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં વધુ 18 મહિના લંબાવવામાં આવ્યો હતો.

મંત્રાલય દ્વારા 28 ઑક્ટોબરે જાહેર કરાયેલી સાર્વજનિક નોટિસમાં સેબીના પ્રમુખ પદ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ નિમણૂક મહત્તમ પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી જે પણ વહેલું હોય તે માટે કરવામાં આવશે. નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે જાહેર સૂચનામાં જણાવ્યું છે કે પાત્ર ઉમેદવારો તેમની અરજીઓ નિર્ધારિત ફોર્મેટ અને જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે 6 ડિસેમ્બર, 2021 સુધીમાં અથવા તે પહેલા મોકલી શકે છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

યુકે સિન્હાને પણ 3 વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું

અગાઉ, સરકારે યુકે સિન્હાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. તેઓએ ડી.આર. મહેતા પછી સૌથી લાંબા સમય સુધી સેબીના પ્રમુખ તરીકે સેવા આપી હતી. જ્યાં સુધી ત્યાગીનો સવાલ છે, સરકારે તેમની નિમણૂક અંગે બે વખત નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

આ પદ માટેના ઉમેદવારોના નામ કેબિનેટ સચિવની આગેવાની હેઠળ ફાઈનાન્શિયલ સેક્ટર રેગ્યુલેટરી એપોઈન્ટમેન્ટ્સ સર્ચ કમિટી (FSRASC) દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉમેદવારોનું ઈન્ટરવ્યુ આર્થિક બાબતોના સચિવની આગેવાની હેઠળની સમિતિ દ્વારા લેવામાં આવશે. સમિતિમાં ત્રણ બાહ્ય સભ્યો હશે.

પીએમના નેતૃત્વ હેઠળની સમિતિ અંતિમ નિર્ણય લે છે

નિયમો મુજબ ઉમેદવારને FSRASC દ્વારા શોર્ટલિસ્ટ કર્યા પછી આર્થિક બાબતોના સચિવની પેનલ દ્વારા તેમનો ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. આ પેનલમાં એવા ત્રણ નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે, જેમની પાસે ડોમેન વિષયનું ઊંડું જ્ઞાન હોય છે. આ બાહ્ય સભ્યો હોય છે. ઈન્ટરવ્યુના આધારે એફએસઆરએએસસી (FSRASC) ફાઈનલ મેમ્બરનું નામ નિમણૂક સમિતિને સબમિટ કરે છે. આ સમિતિના પ્રમુખ પ્રધાનમંત્રી હોય છે.

આ પણ વાંચો :  Foreign Exchange Reserves: આ અઠવાડીયે વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો 91 લાખ ડોલરનો ઘટાડો, જાણો RBIના ખજાનામાં કેટલું બચ્યુ છે રીઝર્વ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">