જેટ એરવેઝને બચાવવા માટે આગળ આવી આ એરલાઈન્સ કંપની
સંયૂક્ત અરબ અમીરાતની મોટી એવિએશન કંપની ઈતિહાદ એરવેઝ દુનિયામાં મોંઘી હવાઈ મુસાફરી માટે જાણીતી છે, હવે આ કંપની જેટ એરવેઝના રિવાઈવલ માટે આગળ આવી છે. જેટ એરવેઝ એરલાઈન્સ કંપની માટે હરાજી લગાવવાના છેલ્લા દિવસે ઈતિહાદ એરલાઈન્સે જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે બોલી લગાવી છે. ઉલ્લેખનીય છે કે 10મેના રોજ હરાજી પૂર્ણ થવાની હતી તેની થોડી […]
સંયૂક્ત અરબ અમીરાતની મોટી એવિએશન કંપની ઈતિહાદ એરવેઝ દુનિયામાં મોંઘી હવાઈ મુસાફરી માટે જાણીતી છે, હવે આ કંપની જેટ એરવેઝના રિવાઈવલ માટે આગળ આવી છે.
જેટ એરવેઝ એરલાઈન્સ કંપની માટે હરાજી લગાવવાના છેલ્લા દિવસે ઈતિહાદ એરલાઈન્સે જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે બોલી લગાવી છે. ઉલ્લેખનીય છે કે 10મેના રોજ હરાજી પૂર્ણ થવાની હતી તેની થોડી મિનિટો પહેલા જ ઈતિહાદે તેની બોલી લગાવી હતી.
જેટ એરવેઝમાં ઈતિહાદની 24 ટકા ભાગીદારી છે. ઈતિહાદના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીએ ઈન્ડિયાની જેટ એરવેઝમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમને કહ્યું કે દુનિયામાં ભારત સૌથી વધુ ઝડપથી વધતુ બજાર છે. ઈતિહાદ છેલ્લાં 15 મહિનાથી ભારતમાં મુખ્ય હિસ્સેદારોની સાથે મળીને વાતચીત કરી રહી હતી.
તેમને વધુમાં જણાવ્યું કે કંપની જેટ એરવેઝને રિવાઈવ કરીને હરીફની એરલાઈન્સ બનાવવા ઈચ્છે છે. જેટ એરવેઝમાં રોકાણ કરવા માટે ખાલી ઈતિહાદને પસંદ કરવામાં આવી છે. તે સિવાય બીજી કંપનીઓએ હરાજીમાં બોલી લગાવવા માટે પસંદ કરી હતી. તેમાં નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (NIIF) TPG કેપિટલ અને ઈન્ડિગો પાટનર્સ છે.
આ પણ વાંચો: ભારતના એક એન્જિનિયરે બનાવ્યું ‘પાણી’થી ચાલતુ એન્જિન પણ ભારતમાં નહી થાય લોન્ચ જાણો કેમ
નાણાંકીય મુશ્કેલીના લીધે જેટ એરવેઝનું કામકાજ 17 એપ્રિલથી બંધ છે. બે દિવસ પહેલા જ કંપનીના ફાઉન્ડર નરેશ ગોયલે 250 કરોડ રૂપિયા એરલાઈન્સને પૂરા પાડ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]