ચલણી નોટથી કોરોના ફેલાય ? સ્પષ્ટતા કરવા કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને CAITનો પત્ર
દેશમાં કોરોનાનું સંક્રમણ ચલણી નોટથી ફેલાતો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. વેપારીઓની આવી માન્યતના કારણે, ઘ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે, CAIT, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. અને સ્પષ્ટતા માંગી છે કે, ચલણી નોટ દ્વારા કોરોના ફેલાય છે કે કેમ ? જો ચલણી નોટ દ્વારા કોરોના ફેલાતો હોય તો, ચલણી નોટના ઉપયોગ અને […]
દેશમાં કોરોનાનું સંક્રમણ ચલણી નોટથી ફેલાતો હોવાનું વેપારીઓ માની રહ્યા છે. વેપારીઓની આવી માન્યતના કારણે, ઘ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે, CAIT, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. અને સ્પષ્ટતા માંગી છે કે, ચલણી નોટ દ્વારા કોરોના ફેલાય છે કે કેમ ? જો ચલણી નોટ દ્વારા કોરોના ફેલાતો હોય તો, ચલણી નોટના ઉપયોગ અને દિશા નિર્દેશ જારી કરવા કહ્યું છે.
CAIT દ્વારા વર્ષ ૨૦૧૫ થી અત્યારસુધીમાં ભારતમાં યુપી, તમિલનાડુ અને કર્ણાટકમાં થયેલી કરન્સીની તપાસ અને સંશોધનના ત્રણ અહેવાલોને ટાંકી ચિંતા વ્યક્ત કરાઈ છે. આ તપાસોમાં કરન્સી ઉપરથી વાયરસ, બેક્ટેરિયા અને ફંગસ મળી આવવાનો ઉલ્લેખ કરાયો હતો. ત્યારે કોરોના મહામારીએ ચિંતામાં વધારો કર્યો છે.
વેપારી સંગઠન અનુસાર કરન્સી, અનેક અજાણ્યા લોકોના હાથમાંથી ફરી, વેપારી અને ગ્રાહકો સુધી પહોંચતી હોય છે. ત્યારે કરન્સી કોરોના વાયરસનું વાહક બનવાની વાત નકારી શકાતી નથી. છતાં મામલે સરકારનો અભિપ્રાય મહત્વનો બની રહે છે. ત્યારે વેપારી સંગઠન કરન્સી અંગે દિશાનિર્દેશ જારી થાય તેવી માંગ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃહવે Googleનું આ નવું ફિચર બતાવશે કોણ કરી રહ્યું છે કોલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો