કોરોનાના કારણે હવાઈયાત્રા માટે લદાયેલી બેગેજની પાબંદીઓમાંથી મુક્તિ અપાઈ, લિમિટ નક્કી કરવાની સત્તા સરકારે એરલાઈન્સને સોંપી
લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી […]
લોકડાઉનના કારણે ઠપ્પ જનજીવન ફરી ધબકતું કરવા પ્રયાસ કરાઈ રહ્યા છે. ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરાઈ છે. પરંતુ યાત્રીઓનો અનુમાનિત પ્રવાહ ન મળવાથી એરલાઇન્સ કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. મુસાફરી કરવા લોકો વિમાન સેવાનો મહત્તમ ઉપયોગ કરે તે માટે સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. કોરોનાના કારણે બેગેજ ઉપર લગાયેલી પાબંધીઓ મામલે સરકારે હસ્તક્ષેપ દૂર કરી નિર્ણય એરલાઇન્સ કંપનીઓ ઉપર છોડયો છે. જે બાદ એરલાઇન્સ વધુ સમાન માટે પરવાનગી આપવા જઈ રહી છે. એરલાઇન્સ કંપનીઓ ઓછા મુસાફરોની સમસ્યા સાથે સ્પર્ધાત્મક યુગમાં મુસાફરોને પોતાના તરફ વાળવા સરકારનો નિર્ણય મહત્વનો સાબિત શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
25 મેથી ડોમેસ્ટિક સર્વિસ શરૂ કરાયા બાદ બેગેજ ઉપર મર્યાદાઓ લાદી દેવાઈ હતી. ચેક ઈન સમયે એક બેગેજ અને એક હેન્ડ બેગની પરવાનગી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ બેગેજ સંબંધિત પાબંદીઓ હટાવી બેગેજ લિમિટની સત્તા એરલાઇન્સ કંપનીઓને તેમની પોલિસી મુજબ નિર્ણય કરવા આપી દીધી છે. 3 મહિના ઠપ્પ રહ્યા બાદ શરૂ કરાયેલી હવાઈ યાત્રામાં હાલ માત્ર 60 ટકા વિમાન સેવા કાર્યરત છે. કોરોના મહામારી પૂર્વે એર ઈન્ડિયા 20 કિલો અને પ્રાઈવેટ એરલાઈન્સ 15 કિલો સુધીના સમાનની પરવાનગી આપતી હતી. સરકારના નિર્દેશ બાદ તમામ કંપનીઓએ કોરોનાકાળના લગેજ સંબંધી પ્રતિબંધો દૂર કરી 20 અને 15 કિલો વજનના લગેજ સાથે સફર કરવા પરવાનગી આપવા ઉપર વિચાર શરુ કરી દીધો છે. જેની ઉપર ટૂંક સમયમાં પાલન પણ શરૂ કરી દેવાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો