NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74 રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે.

NPS : ઘડપણની આર્થિક સમસ્યાની ચિંતા સતાવી રહી છે ? દરરોજના 74  રૂપિયાનું રોકાણ તમને કરોડપતિ બનાવશે , જાણો કઈ રીતે?
દરરોજનું 74 રૂપિયાનું રોકાણ તમને કરોડ પતિ બનાવી શકે છે.
Follow Us:
| Updated on: May 14, 2021 | 7:55 AM

દરેક નોકરીયાત વ્યક્તિ નિવૃત્તિની નજીકના સમયને ચિંતામુક્ત ઈચ્છે છે. આ જીવનમાં પૈસાની કમી ન હોય તો બાળકો અથવા સંબંધીઓ સામે હાથ ફેલાવવો ન પડે. નોકરી કરનાર દરેકને તેના એ ચિંતા રહેતી હોય છે કે નિવૃત્તિ સુધી તેણે ખુબ પૈસા જમા કરવા જોઈએ.

દરરોજ 74 રૂપિયા જમા કરો અમે નોકરિયાતોને આ ચિંતામાંથી મુક્તિ મેળવવાનો માર્ગ બતાવી રહ્યા છીએ. એવા રોકાણો પણ છે કે જ્યાં તમે દરરોજ માત્ર 74 રૂપિયા જમા કરશો તો નિવૃત્તિ પછી તમે કરોડપતિ બની શકો છો. નિવૃત્તિ પછી મોટું ભંડોળ મેળવવા માટે તમારી પાસે રોકાણ માટે ઘણા વિકલ્પો છે. જમશેદપુરના જાણીતા ફાઇનાન્સ નિષ્ણાત અનિલ ગુપ્તાનું માનવું છે કે રાષ્ટ્રીય પેન્શન યોજના શ્રેષ્ઠ છે. નિવૃત્તિ પછી NPS તમને કરોડપતિ બનાવી શકે છે. અનિલ ગુપ્તા કહે છે આ યોજનાની વિશેષતા એ છે કે તમારે તેમાં કોઈ મોટી રકમ જમા કરવાની જરૂર નથી. તમે દર મહિને તેમાં થોડી રકમ જમા કરીને કરોડપતિ બની શકો છો.

આ રીતે બનો કરોડપતિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તમારે દર મહિને NPSમાં 2220 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે, દૈનિક ધોરણે દરરોજ ફક્ત 74 રૂપિયા રોકાણ કરવાનું છે. આ નાનું રોકાણ 40 વર્ષમાં 10.65 લાખ રૂપિયા થઈ જશે. ધારો કે તમને આ રોકાણ પર નવ ટકા વળતર મળી રહ્યું છે તો આ સ્થિતિમાં મેચ્યોરિટી સમયે તમને કુલ 1.02 કરોડ રૂપિયા મળશે. તેની અન્ય વિશેષતા એ છે કે તમને ટેક્સ છૂટ પણ મળશે. આ 40 વર્ષોમાં તમે લગભગ 3.31 લાખનો ટેક્સ પણ બચાવશો.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

60 ટકા પૈસા ઉપાડવાની પરવાનગી 40 વર્ષ પછી તમે એક જ સમયે 1.02 કરોડ રૂપિયા ઉપાડી શકતા નથી. તમારા રોકાણ કરેલા નાણાં અને મેચ્યોરિટીમાંથી માત્ર 60 ટકા જ લઈ શકાય છે. બાકીના 40 ટકા રકમ રકમ વાર્ષિકી યોજનામાં જમા કરવામાં આવશે, જેમાંથી તમને પેન્શન મળશે. આ રીતે, તમે તમારા ખાતામાંથી ફક્ત 61.59 લાખ જ ઉપાડી શકો છો. બાકીના 41 લાખ રૂપિયા વાર્ષિકી યોજનામાં જશે. આ 40 ટકા બેલેન્સ સાથે નિવૃત્તિ પછી તમને દર મહિને 27000 રૂપિયા મળે છે. આ રકમ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવશે.

ઘરે બેઠા NPS ખાતું ખોલઈ શકાય છે NPS ખાતું ખોલવા માટે ઓફિસોમાં ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા NPS ખાતું ખોલી શકો છો. આ માટે કોઈપણ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઓનલાઇન સબ્સ્ક્રાઇબ કરવું પડશે, રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે વર્ચુઅલ આઈડી નંબર દાખલ કરો, ત્રીજા સ્ટેપમાં તમને રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી મળશે. પછી એક્નોલેજ નંબર બનાવો અને આ પછી તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો. આ પછી PRAN નંબર મેળવો અને લોગ ઇન કરો.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">