ખુશ ખબર… ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો, આમ આદમીને મોંઘવારીથી મળશે રાહત

ખાદ્યતેલ ઉત્પાદકોએ પામ તેલ, સૂર્યમુખી અને સોયાબીન તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15 સુધીનો ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો થવાને કારણે કંપનીઓએ આવું કર્યું છે.

ખુશ ખબર... ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો, આમ આદમીને મોંઘવારીથી મળશે રાહત
Edible Oil Price (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 7:52 PM

બ્રાન્ડેડ ખાદ્યતેલ બનાવતી કંપનીઓએ પામ ઓઈલ (Edible Oil), સનફ્લાવર અને સોયાબીન ઓઈલના ભાવમાં 15 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડો થવાને કારણે કંપનીઓએ આવું કર્યું છે. મોંઘવારીના બોજનો સામનો કરી રહેલા ગ્રાહકોને થોડી રાહત આપવા માટે આવું કરવામાં આવ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ ઈન્ડિયન વેજીટેબલ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિયેશનના પ્રમુખ સુધાકર રાવ દેસાઈએ જણાવ્યું હતું કે ભાવમાં ઘટાડાની અસર અર્થવ્યવસ્થા (Economy) અને લોકપ્રિય બ્રાન્ડ્સ (Popular Brands) પર તરત જ જોવા મળશે. જ્યારે, પ્રીમિયમ બ્રાન્ડ્સને ગ્રાહકો સુધી કિંમતમાં ઘટાડો કરવામાં થોડો સમય લાગશે.

ભાવ ઘટવાના કારણે વિતરકો તેમનો સ્ટોક ભરી રહ્યા છે. કારણ કે આગામી સમયમાં માગમાં વધારો થવાની ધારણા છે. ખાદ્યતેલના ભાવમાં ઘટાડાની અસર ખાદ્યતેલના ફુગાવા પર પણ પડશે, જેનો મોટો હિસ્સો ખાદ્યતેલમાંથી આવે છે. ખાદ્યતેલ અને ન ફેટ કેટેગરીમાં મે મહિનામાં 13.26 ટકા મોંઘવારી જોવા મળી છે. તેનો સૌથી મોટો ભાગ છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના સ્થાનિક ભાવમાં થયેલા વધારાને કારણે છે.

પામતેલના ભાવમાં પણ ઘટાડો થયો

દેસાઈએ કહ્યું કે પામ ઓઈલના ભાવમાં પ્રતિ લીટર 7-8 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે સૂર્યમુખી તેલના ભાવમાં પ્રતિ લીટર 10 થી 15 રૂપિયાનો ઘટાડો થયો છે. સોયાબીન તેલના ભાવમાં લીટરદીઠ 5 રૂપિયાનો ઘટાડો થયો છે. અદાણી વિલ્મરના મેનેજિંગ ડિરેક્ટર અંગશુ મલિકે જણાવ્યું હતું કે તેઓ સરકારની વિનંતી પર રસોઈ તેલની MRP (મહત્તમ છૂટક કિંમત) ઘટાડી રહ્યા છે, જેથી ગ્રાહકોને ટેકો મળી શકે. તેમણે કહ્યું કે નવી MRP સાથે તેલ આવતા સપ્તાહ સુધીમાં બજારમાં પહોંચી જશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયાએ પામ ઓઇલ નિકાસ કર નીતિમાં તાજેતરમાં જાહેર કરાયેલા ફેરફારોને લાગુ કરવા માટે નવા નિયમો જાહેર કર્યા હતા. આમાં નિકાસ પ્રતિબંધો સમાપ્ત થયા પછી ધીમા વળતર શિપમેન્ટને ઝડપી બનાવવા માટે મહત્તમ લેવી દરમાં ઘટાડો સામેલ છે. આ માહિતી આપતાં ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઠક્કરે જણાવ્યું હતું કે નવા લેવી રેટ જુલાઈના અંત સુધી ચાલુ રહેશે. ઓગસ્ટમાં તેના પર પુનર્વિચાર કર્યા પછી, દરોમાં ફેરફાર કરી શકાય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">