ITR-1માં થયા ફેરફાર, જાણો કોણ નહીં ભરી શકે આ ફોર્મ

આમાં એ જાણવું પણ જરૂરી છે કે કોણ આ ફોર્મ (ITR Filing) ભરી શકે છે અને કોણ નહીં. આ ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તેમના વિશે પણ જાણવું અને સમજવું મહત્વપૂર્ણ છે.

ITR-1માં થયા ફેરફાર, જાણો કોણ નહીં ભરી શકે આ ફોર્મ
ITR Filing Last Date date 31st July 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:58 PM

આઈટીઆર-1 ફોર્મ (ITR-1) ઘણા લોકો ભરે છે. આ ફોર્મમાં ઘણી વિગતો છે, જેને સમજવાની જરૂર છે. જો તમે સમજ્યા વગર ફોર્મ ભરો તો ભૂલ થવાનો અવકાશ છે. તેનાથી નોટિસ મળવાનું જોખમ વધી જાય છે. આમાં એ જાણવું પણ જરૂરી છે કે કોણ આ ફોર્મ ભરી શકે છે અને કોણ નહીં. આ ફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, તેમના વિશે પણ જાણવું અને સમજવું મહત્વપૂર્ણ છે. ITR ફોર્મ-1ને સહજ કહેવામાં આવે છે, જે નાના અને મધ્યમ કરદાતાઓ દ્વારા ભરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પગાર, મકાન ભાડું અથવા અન્ય સ્ત્રોતોમાંથી એક વર્ષમાં 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે તો તે સહજ ફોર્મ એટલે કે ITR-1 દ્વારા આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરી શકે છે.

ચાલો હવે જાણીએ કે કોણ ITR-1 ફોર્મ ભરી શકતું નથી. આવકવેરા વિભાગે કેટલાક ફેરફારો કર્યા છે અને જણાવ્યું છે કે કોણ આ ફોર્મ ભરી શકે છે અને કોણ નહીં. ઈન્કમટેક્સ અનુસાર કોઈપણ બિન-નિવાસી ભારતીય (NRI) આ ફોર્મ ભરી શકશે નહીં. જેમની કુલ આવક 50 લાખથી વધુ છે, તેઓ પણ સહજ અથવા ITR-1 ફોર્મ ભરી શકતા નથી. જેઓ 5000 રૂપિયાથી વધુની કૃષિ આવક ધરાવતા હોય, જેઓ લોટરી, રેસ કોર્સ, કાયદેસરના જુગારમાંથી આવક મેળવતા હોય તેઓ પણ આ ફોર્મ ભરી શકશે નહીં.

જે વ્યક્તિએ લિસ્ટેડ ઈક્વિટી શેર્સમાં રોકાણ કર્યું છે, વ્યવસાય અથવા કારોબાર કરતું હોય, કોઈ કંપનીના ડિરેક્ટર હોય, આવકવેરા કાયદાની કલમ 194N હેઠળ કર કાપવામાં આવતો હોય, એક કરતાં વધુ ઘર ધરાવનાર અને તેમાંથી ભાડું મેળવનાર વ્યક્તિ ITR-1 હેઠળ આવશે નહીં. આ શ્રેણીમાં આવતી વ્યક્તિ ITR-1 અથવા સહજ ફોર્મ ભરી શકતી નથી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ITR-1માં શું બદલાવ થયો

આકારણી વર્ષ 2021-22 માટે ITR-1માં ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં એક નવું સેક્શન 115BAC ઉમેરવામાં આવ્યું છે. આ ફેરફાર મુજબ જો તમે કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થા પસંદ કરો છો તો પછી નવા ITR ફોર્મમાં હા પસંદ કરો, નહીં તો તમારે ના પસંદ કરવાનું રહેશે. ધ્યાનમાં રાખો કે કલમ 115BAC હેઠળ નવી કર વ્યવસ્થાનો વિકલ્પ કલમ 139(1) હેઠળ ITR ફાઈલ કરવાની નિયત તારીખ સુધી જ ઉપલબ્ધ રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">