BUDGET 2021: શુક્રવારે પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે, જાણો કેમ મહત્વની છે બેઠક ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. PM વૃદ્ધિને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ બજેટમાં સમાવિષ્ટ કરવા અભિપ્રાય મેળવશે .

BUDGET 2021: શુક્રવારે પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે બજેટ અંગે ચર્ચા કરશે, જાણો કેમ મહત્વની છે બેઠક ?
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 07, 2021 | 12:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે વિવિધ ક્ષેત્રના અગ્રણી અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરશે. PM વૃદ્ધિને પ્રોત્સાહન આપતા મુદ્દાઓ બજેટમાં સમાવિષ્ટ કરવા અભિપ્રાય મેળવશે . સરકારની થિંક ટેન્ક નીતિ આયોગ દ્વારા આ બેઠકનું ઓનલાઈન આયોજન કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન રાજીવ કુમાર અને નિતી આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ ભાગ લેશે.

આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાના કદમાં 7.5 ટકાનો ઘટાડો થઈ શકે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બેંકનો અંદાજ છે કે તેમાં અનુક્રમે 10.3 ટકા અને 9.6 ટકાનો ઘટાડો થશે.

1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે વર્તમાન નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થા અપેક્ષા કરતા વધુ ઝડપથી સુધરી હતી અને ઉત્પાદન ક્ષેત્રે આ સમયગાળા દરમિયાન વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આને કારણે, ગ્રાહકોની માંગમાં સુધારો થવાની ધારણા છે. આગામી યુનિયન બજેટ 1 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ રજૂ થવાની સંભાવના છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વર્લ્ડ બેંકે આપ્યું છે અર્થવ્યવસ્થાનું અનુમાન વર્લ્ડ બેંકે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં 9.6 ટકાનો ઘટાડો થવાની ધારણા છે. આ કૌટુંબિક સ્તરે ખર્ચ અને ખાનગી રોકાણોમાં ઘટાડો દર્શાવે છે. તે જ સમયે, આગામી નાણાંકીય વર્ષ 2021-22માં ભારતીય અર્થવ્યવસ્થામાં 5.4 ટકા વૃદ્ધિનો અંદાજ છે.

નાણાંકીય ક્ષેત્રમાં નબળાઇઓને જોતાં, તુલનાત્મક ધોરણે નબળા રોકાણથી ખાનગી ક્ષેત્રના રોકાણને અસર થશે. અહેવાલમાં જણાવ્યા મુજબ, કુલ રોજગારમાં અસંગઠિત ક્ષેત્રનો હિસ્સો 80 ટકા છે. કોરાનાના રોગચાળા દરમિયાન આવકનું નોંધપાત્ર નુકસાન થયું હતું. વીજ વપરાશ સહીતના તાજેતરના ડેટાને જોતા પીએમઆઈ જીએસટી કલેક્શન સૂચવે છે કે સેવાઓ અને મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં રિવાઇવલ ઝડપથી થઈ રહ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">