યસ બેંકના સ્થાપક Rana Kapoorને મની લોન્ડરિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો આંચકો, જામીન અરજી નામંજૂર

મની લોન્ડરિંગ કેસમાં યસ બેંકના સ્થાપક રાણા કપૂરને બોમ્બે હાઈકોર્ટનો આંચકો મળ્યો છે

યસ બેંકના સ્થાપક Rana Kapoorને મની લોન્ડરિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટનો આંચકો, જામીન અરજી નામંજૂર
Rana Kapoor, Yes Bank founder
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 25, 2021 | 2:21 PM

મની લોન્ડરિંગ કેસમાં યસ બેંકના સ્થાપક રાણા કપૂરને બોમ્બે હાઈકોર્ટનો આંચકો મળ્યો છે. હાઇકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂર દ્વારા દાખલ કરેલી જામીન અરજી નામંજૂર કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

ઇડીએ યસ બેંકના નાણાંની કાર્યવાહીના મામલામાં બેંકના સ્થાપક રાણા કપૂર અને અન્ય લોકોની લગભગ 2800 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી હતી. આમાં કેટલીક વિદેશી સંપત્તિ પણ શામેલ છે. રાણા કપૂરના લંડન અને ન્યૂયોર્કના ફ્લેટ્સ પણ અટેચ કર્યા હતા.

ઇડીનો આરોપ છે કે રાણા કપૂર અને તેના પરિવારના સભ્યો અને અન્ય લોકોએ બેંક દ્વારા મોટી લોન આપવા માટે લાંચ લીધી હતી. આ લોકોએ લગભગ 4 હજાર 300 કરોડની ગેરકાયદેસર કમાણી કરી હતી. આ દેવું પાછળથી બિન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) બની ગયું. ગત વર્ષે માર્ચમાં કપૂરની કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગયા વર્ષે જુલાઇની શરૂઆતમાં, વિશેષ પીએમએલએ કોર્ટે પણ મની લોન્ડરિંગ કેસમાં રાણા કપૂરની જામીન અરજી ફગાવી દીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">