શું આવતીકાલથી 4-5 દિવસ માટે બેન્કો રહેશે બંધ ?,સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં મેસેજની હકીકત જાણો
બેન્ક સંબંધિત તમારાં કામ આજે જ પૂરા કરી દેજો તેવા મેસેજ છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઇકે આવતીકાલથી એટલે કે બુધવારથી ચાર દિવસ માટે બેન્ક ગુજરાતમાં બંધ રહેવાની નથી. જો કે અન્ય કેટલાંક રાજ્યોમાં બેન્ક બંધ રહેશે જેના કારણે એટીએમમાં રોકડાની તંગી થઇ શકે છે. જો કે […]
બેન્ક સંબંધિત તમારાં કામ આજે જ પૂરા કરી દેજો તેવા મેસેજ છેલ્લા ઘણાં દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. ત્યારે તમને જણાવી દઇકે આવતીકાલથી એટલે કે બુધવારથી ચાર દિવસ માટે બેન્ક ગુજરાતમાં બંધ રહેવાની નથી. જો કે અન્ય કેટલાંક રાજ્યોમાં બેન્ક બંધ રહેશે જેના કારણે એટીએમમાં રોકડાની તંગી થઇ શકે છે.
જો કે વચ્ચે એક દિવસ બેન્ક ખુલશે પરંતુ ફરી બે દિવસ રજાઓ હોવાને કારણે બેન્કમાં ભારે ભીડ જોવા મળી શકે છે. ચાર દિવસોમાં બેન્કોની રજાઓ અલગ-અલગ રાજ્યોના હિસાબે અલગ-અલગ હશે. તેવામાં તમારા માટે તે જાણવું જરૂરી છે કે તમારા રાજ્યમા આગામી 4-5 દિવસ સુધી બેન્કો બંધ રહેશે કે નહી.
20 અને 21 માર્ચે હોળીની રજા અમુક રાજ્યોમાં છે. જ્યારે 21 માર્ચે એટલે કે ગુરુવારના દિવસે ગુજરાતની બેંકોમાં ધુળેટીની રજા રહેશે. ત્યાર બાદ શુક્રવારે બેંક ચાલુ રહેશે. જે બાદમાં ચોથો શનિવાર અને પછીના દિવસે રવિવાર આવતો હોવાથી બે દિવસ સુધી બેંક બેંધ રહેશે.
આ પણ વાંચો : વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે
જે જોતાં કોઇ બેંકના કામ હોય તો આવતી કાલ સુધી પતાવી લેવા જોઇએ. તેનો અર્થ એ છે કે બેન્ક સીધી સોમવાર એટલે કે 25 માર્ચે જ ખુલશે. તેવામાં જો તમારે કોઇ જરૂરી કામ હોય તો તમે આવતીકાલ એટલે કે મંગળવાર સુધીમાં પતાવી શકો છો. લાંબી રજાઓના કારણે અને તહેવારના કારણે લોકોને એટીએમમાં કેશની તંગી સામે ઝઝૂમવુ પડી શકે છે. પરંતુ બેન્ક અધિકારીઓનું માનવું છે કે એટીએમમાં કેશની તંગી રહેશે નહીં.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]