Bank Strike: SBI સહિત દેશની સરકારી બેંકોમાં આજથી બે દિવસની હડતાલ રહેશે

Bank Strike: દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં બે દિવસ સુધી કોઈ કામગીરી થશે નહીં. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ-યુએફબીયુના બેનર હેઠળ 9 યુનિયન દ્વારા 15 માર્ચ અને 16 માર્ચે હડતાલની ઘોષણા કરવામાં આવી છે.

Bank Strike: SBI સહિત દેશની સરકારી બેંકોમાં આજથી બે દિવસની હડતાલ રહેશે
Bank Strike
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 15, 2021 | 7:17 AM

Bank Strike: દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં બે દિવસ સુધી કોઈ કામગીરી થશે નહીં. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ-યુએફબીયુના બેનર હેઠળ 9 યુનિયન દ્વારા 15 માર્ચ અને 16 માર્ચે હડતાલની ઘોષણા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશની ઘણી બેંકોનું ખાનગીકરણ કરવાની દરખાસ્ત કરી છે, જેની સામે બેંક હડતાલની ઘોષણા કરવામાં આવી છે.

SBI સહિત દેશની ઘણી PSU બેંકો આ હડતાલમાં જોડાઇ રહી છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન -એએબીઇએના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલામે દાવો કર્યો હતો કે લગભગ 10 લાખ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે.

સોમવાર, મંગળવાર, 15 અને 16 માર્ચે બેંકની હડતાલને કારણે કામને અસર થશે. સરકારે બજેટ 2021 માં બે સરકારી બેંકો અને વીમા કંપનીનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે તેના વિરોધમાં AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, IBOC, NOBW, NOBO અને AINBOF જેવા બેંક યુનિયનો તરફ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

SBI સહિત બેંકોનું કામ ઠપ્પ રહેશે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI, કેનરા બેંક સહિતની ઘણી બેંકોએ તેમના ગ્રાહકોને આ વિશેની માહિતી આપી છે. થોડા દિવસો પહેલા પણ કહ્યું હતું કે, હડતાલની અસર બેંકિંગ કામગીરી પર જોવા મળશે. ઉલ્લેખની છે કે કામગીરીને અસર ન પડે તે માટે ઘણાં વિશેષ પગલાં પણ લેવામાં આવ્યા છે.

હવે દેશમાં 12 સરકારી બેંકો હાલમાં દેશમાં 12 સરકારી બેંકો છે. બજેટની ઘોષણા પછી તેમની સંખ્યા ઘટીને 10 કરી દેવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ માટે સરકારે રૂ. 1.75 લાખ કરોડનું વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય રાખ્યું છે. સરકાર આગામી દિવસોમાં જાહેર ક્ષેત્રની વધુ બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં દેશમાં ફક્ત 4 સરકારી બેંકો હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">