બેન્ક ઓફ બરોડાનો નફો પ્રથમ ક્વાર્ટરમાં 79% વધ્યો, આવકમાં પણ થયો વધારો

ચાલુ નાણાકીય વર્ષના (financial year) પ્રથમ ક્વાર્ટરમાં બેન્ક ઓફ બરોડાનો (Bank of Baroda) ચોખ્ખો નફો 79 ટકા વધીને 2,168 કરોડ થયો છે. બેડ લોનમાં ઘટાડો થવાને કારણે બેંકનો નફો વધ્યો છે.

બેન્ક ઓફ બરોડાનો નફો પ્રથમ ક્વાર્ટરમાં 79% વધ્યો, આવકમાં પણ થયો વધારો
Bank of Baroda (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 11:04 AM

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાનો (Bank of Baroda) ચોખ્ખો નફો 79 ટકા વધ્યો છે. આ સાથે નફો 2,168 કરોડ રૂપિયા રહ્યો છે. બેડ લોનમાં ઘટાડો થવાને કારણે બેંકનો નફો વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં બેન્કનો ચોખ્ખો નફો રૂ. 1,208 કરોડ હતો. બેંકે શનિવારે સ્ટોક એક્સચેન્જને (stock exchanges) આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ આવક વધીને 20,119.52 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષે 19,915.83 કરોડ રૂપિયા હતી.

બેંકના વ્યાજથી આવકમાં વધારો

આ સમયગાળા દરમિયાન બેંકની વ્યાજની આવક પણ વધીને 18,937.49 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં તે રૂ. 17,052.64 કરોડ હતો. પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની બિન-વ્યાજ આવક 12 ટકા વધીને રૂ. 8,838 કરોડ થઈ છે. બેંકની ફીની આવકમાં પણ 15 ટકાનો વધારો થયો છે.

જોકે, કામગીરીમાંથી બેન્કનો નફો 19 ટકા ઘટીને રૂ. 4,528 કરોડ થયો હતો જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,707 કરોડ હતો. એસેટ ક્વોલિટી મોરચે, બેંકની એકંદર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં જૂન ક્વાર્ટરમાં સુધારો જોવા મળ્યો હતી. તે છેલ્લા ક્વાર્ટરમાં 6.26 ટકા છે, જે ગયા વર્ષે 8.86 ટકા હતો. ગ્રોસ એનપીએ અથવા બેડ લોન ગયા વર્ષના જૂન ક્વાર્ટરમાં રૂ. 63,028.78 કરોડથી ઘટીને જૂન 2022માં રૂ. 52,590.83 કરોડ થઈ ગઈ છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

બેંકની NPA ઘટી

નેટ એનપીએ પણ 3.03 ટકાથી ઘટીને 1.58 ટકા થઈ છે. પરિણામે, બેડ લોન અને આકસ્મિકતા માટેની જોગવાઈ પણ ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,005.40 કરોડથી ઘટીને રૂ. 1,684.80 કરોડ થઈ હતી.

તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડાએ હાલમાં જ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. 2 કરોડથી ઓછી ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વ્યાજ દરો 28 જુલાઈ, 2022થી અમલમાં આવ્યા છે. બેંક ઓફ બરોડાએ અલગ-અલગ મુદતની FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા દરો અનુસાર, આ બેંક તેના સામાન્ય ગ્રાહકોને 3 ટકાથી 5.50 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 3.50 ટકાથી 6.50 ટકા વ્યાજ આપી રહી છે.

રેપો રેટમાં વધારા બાદ FDના દરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રેપો રેટમાં વધારાને કારણે રિટેલ લોન મોંઘી થઈ છે. હોમ લોન વગેરેની EMI વધી છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">