સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર
સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. […]
સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. તો બીજી તરફ મંદીની અસરમાં ભારતને પણ નુકસાન ઉઠાવવું પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
નિષ્ણાતોના મત પ્રમાણે સઉદી અરબના પ્લાન્ટમાં તેલનો જથ્થાનું પ્રમાણ સામાન્ય થવામાં ઘણા સપ્તાહ લાગી શકે છે. આગામી એક સપ્તાહમાં તેલની કિંમતમાં 15થી 20 ડોલર પ્રતિ બેરલ વધારો થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શું છે આરામકો તેલ કંપની
આરામકો દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદન કરતી કંપની છે. શનિવારે સઉદી અરબમાં આરામકોના અબક્રાઈક અને ખુરાઈસમાં તેલના પ્લાન્ટ પર 10 ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલા બાદ સઉદી અરબના કુલ ખનિજ તેલના ઉત્પાદનના જથ્થામાં આશરે અડધો હિસ્સો એટલે 57 લાખ પ્રતિ બેરલ ઉત્પાદન રોકાઈ ગયું છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં કાચા તેલ(ખનિજ)નો રોજ 10 કરોડ બેરલ ઉત્પાદન થાય છે. જેનું 10 ટકા ઉત્પાદન એકમાત્ર સાઉદી અરબમાં થાય છે. ઈતિહાસમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાનું નુકસાન પણ મોટું થવાનું છે. તો સાથે ખાડીના દેશમાં તણાવની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.
ભારતને શું થશે અસર
આરામકોએ કહ્યું કે, તે ભારત સહિત દુનિયાના દેશેને ખનિજ તેલનો જથ્થો પૂરો પાડવામાં અસર થવા દેશે નહીં. ભારત માટે તેલની પૂર્તિનો સવાલ નહીં પરંતુ દુનિયાના બજારમાં ભાવ વધારાની અસર થશે. ભારતમાં પેટ્રોલની કિંમત આંતરરાષ્ટ્રિય ખનિજના તેલની કિંમત પર નિર્ભર રહે છે. ભારત પહેલા જ મંદીની અસરથી પીડાઈ રહ્યું છે. આ હુમલાની અપ્રત્યક્ષ રીતે ભારતને અસર જરૂર થવાની છે. તેલની કિંમતમાં પ્રતિ ડોલર વધારાથી ભારતને વાર્ષિક આયાત બિલમાં 10,700 કરોડ રૂપિયા વધી શકે છે. તો બીજી તરફ ચાઈના-અમેરિકાના ટ્રેડ વોરની અસરનું ભોગી ભારત થઈ રહ્યું છે.
અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. પરંતુ ઈરાન કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અસલમાં યમનના હૂતી વિદ્રોહિયો દ્વારા આ હુમલાની જવાબદારી લેવાઈ છે. પરંતુ અમેરિકાએ કહ્યું કે, આ હુમલો યમન તરફથી કરાયો હોવાના કોઈ પુરાવા નથી. અને હૂતી લોકો તરફથી ઈરાને આ હુમલો કર્યો છે.