Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ

રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 પછી તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા નથી. ડિસેમ્બર 2018માં તેની આવક રૂ. 568 કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. 89 કરોડ હતો. આમાં પ્રમોટર્સનો હિસ્સો 1.51% છે. જનતા 97.85% હિસ્સો ધરાવે છે.

Anil Ambani ની આ કંપની RBI એ પોતાના તાબા હેઠળ લીધી, કંપનીના શેરમાં સતત બીજા દિવસે લોઅર સર્કિટ નોંધાઈ
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 9:45 AM

ભારતીય રિઝર્વ બેંક દ્વારા અનિલ અંબાણી(Anil Ambani)ની રિલાયન્સ કેપિટલ(Reliance Capital )ના બોર્ડને બરતરફ કરવામાં આવ્યું છે. બેંક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નાગેશ્વર રાવને નવા એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે. સોમવારે કંપનીનો શેર 4.99% નીચી સર્કિટ સાથે રૂ. 19.05 પર બંધ થયો હતો અને આજે પણ લોઅર સર્કિટ સાથે 18.10 રૂપિયા ઉપર ખુલ્યો હતો. લોઅર સર્કિટનો અર્થ છે કે એક દિવસમાં તેનાથી વધુ ઘટાડો થઈ શકે નહીં.

કંપની વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી. તેણે કહ્યું હતું કે તે એક્સિસ બેન્ક અને HDFCને રૂ. 624 કરોડની લોન પર વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ રહી છે. આ વ્યાજ તેણે 31 ઓક્ટોબર સુધીમાં ચૂકવવાનું હતું. HDFCને રૂ. 4.77 કરોડ અને એક્સિસ બેન્કે રૂ. 71 લાખનું વ્યાજ ચૂકવવાનું હતું. HDFC એ 10.6 અને 13% વ્યાજ ચૂકવવાનું હતું જ્યારે એક્સિસ બેંકે 8.25% વ્યાજ ચૂકવવાનું હતું. એપ્રિલ 2021 માં, કંપનીએ કહ્યું કે તે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવામાં સક્ષમ નથી. આ વ્યાજ 22 એપ્રિલે ચૂકવવાનું હતું.

રિઝર્વ બેંકે માહિતી આપી હતી રિઝર્વ બેંકે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. રિઝર્વ બેંકે કહ્યું કે રિલાયન્સ કેપિટલ તમામ ધિરાણકર્તાઓને ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે. તે જ સમયે કોર્પોરેટ ગવર્નન્સના ઘણા મુદ્દાઓ પણ સામે આવ્યા છે જે ચિંતાજનક છે. રિઝર્વ બેંકે કહ્યું કે કોર્પોરેટ ગવર્નન્સનો મુદ્દો ખૂબ જ ગંભીર છે જેને અવગણી શકાય નહીં. જૂન 2019 માં કંપનીના ઓડિટરોએ કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો અંગે ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. જેમાં હિસાબની પદ્ધતિ પર પણ સવાલ ઉઠ્યા હતા.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

કંપનીએ 2018 થી પરિણામ જાહેર કર્યું નથી રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 પછી તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા નથી. ડિસેમ્બર 2018માં તેની આવક રૂ. 568 કરોડ હતી જ્યારે ચોખ્ખો નફો રૂ. 89 કરોડ હતો. આમાં પ્રમોટર્સનો હિસ્સો 1.51% છે. જનતા 97.85% હિસ્સો ધરાવે છે. પ્રમોટરોમાં અનિલ અંબાણી પાસે 11.06 લાખ શેર, ટીના અંબાણી 2.63 લાખ શેર, જય અનમોલ અંબાણી 1.78 લાખ શેર અને જય અંશુલ 1.78 લાખ શેર ધરાવે છે. કોકિલાબેન અંબાણી પાસે 5.45 લાખ શેર છે. અનિલ અંબાણીને બે પુત્રો જય અનમોલ અને જય અંશુલ છે.

આ પણ વાંચો :  Share Market : મજબૂત વૈશ્વિક સંકેત સાથે પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ, સેન્સેક્સ 650 અને નિફટીમાં 183 અંક નો ઉછાળો

આ પણ વાંચો : RBI એ SBI બાદ હવે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને 1 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">