VIDEO: અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનના ડાયરેક્ટર પદથી આપ્યું રાજીનામું
દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં […]
દેવાના બોજા હેઠળ દબાયેલી રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશન R.Comના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધુ છે. અનિલ અંબાણી સાથે RComના ચાર અધિકારીઓએ પણ રાજીનામું આપી દીધુ છે.
Reliance Communications Limited: Anil Dhirubhai Ambani along with four other directors, Chhaya Virani, Ryna Karani, Manjari Kacker & Suresh Rangachar, have tendered their resignation from the post. pic.twitter.com/ZtmMNrHdGL
— Tv9 Gujarati (@tv9gujarati) November 16, 2019
એક પત્રક મુજબ અનિલ અંબાણી સહિત છાયા વિરાણી, રાયના કારાણી, મંજરી કાકેર, અને સુરેશ રંગાચરે પણ રાજીનામું ધર્યું છે. શુક્રવારે રિલાયન્સ કમ્યુનિકેશનની બીજી તિમાહીના પરિણામ જાહેર થયા હતા. જુલાઈથી સપ્ટેમ્બરની તિમાહીમાં કંપનીને 30,142 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. અને ગત વર્ષમાં આ જ ત્રણ મહિનામાં કંપનીએ 1,141 કરોડ રૂપિયાનો સીધો નફો કર્યો હતો. આ તિમાહીમાં પણ કંપનીની આવક ઘટીને 302 કરોડ રૂપિયા થઈ ચૂકી હતી. જ્યાકે ગત વર્ષમાં સમાન તિમાહી દરમિયાન 977 કરોડ રૂપિયા આવક હતી. જ્યારે હાલમાં Rcomનો શેર 59 પૈસાનો છે.
હાલમાં જ Rcomના માલિક અનિલ અંબાણી પર ચીનની ત્રણ મોટી બેંકોએ લંડન કોર્ટમાં 680 મિલિયન ડૉલર (આશરે 47,600 કરોડ) ન ચૂકવવાનો કેસ દાખલ કર્યો છે. આ ત્રણ બેંક ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલપમેન્ટ બેંક અને એક્સપોર્ટ-ઈંપોર્ટ બેંક ઓફ ચાઈના છે.