Adar Poonawalla એ પેનાસીઆ બાયોટેકના તમામ શેર વેચી નાખ્યા ! જાણો પૂનાવાલા પર શું પડશે અસર
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (serum institute of india) ના સીઈઓ આદર પૂનાવાલા(adar poonawalla)એ પેનાસીઆ બાયોટેક(panacea biotec)માં રહેલો તેમનો 5.15 ટકા હિસ્સો ખુલ્લા બજારના સોદા હેઠળ રૂ. 118 કરોડમાં વેચી નાખ્યો છે.
સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (serum institute of india) ના સીઈઓ આદર પૂનાવાલા(adar poonawalla)એ પેનાસીઆ બાયોટેક(panacea biotec)માં રહેલો તેમનો 5.15 ટકા હિસ્સો ખુલ્લા બજારના સોદા હેઠળ રૂ. 118 કરોડમાં વેચી નાખ્યો છે. આ શેર તેની પોતાની કંપની SII દ્વારા ખરીદવામાં આવ્યા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ને આપવામાં આવેલી માહિતી મુજબ પૂનાવાલાએ પેનાસીઆના 31,57,034 શેર પ્રતિ શેર રૂ 33.85 ના ભાવે વેચ્યા છે. આ સોદાથી પૂનાવાલાને 118.02 કરોડની આવક થઈ છે.
SIIએ આ શેર એક સમાન ભાવે એક અલગ સોદામાં ખરીદ્યા હતા. પેનાસીઆના માર્ચ 2021 ના શેરહોલ્ડિંગના આંકડા અનુસાર પૂનાવાલા અને SII પનાસિયામાં અનુક્રમે 5.15 ટકા અને 4.98 ટકા હિસ્સો ધરાવતા જાહેર શેરહોલ્ડરો હતા.
જિંદાલ સ્ટીલના શેર વેચવામાં આવ્યા અન્ય એક ડીલમાં શારદા માઇન્સે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના 227.66 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. કંપનીના 52.74 લાખ શેર રૂપિયા 431.62 ના ભાવે વેચવામાં આવ્યા chh. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડનો શેરનો ભાવ સોમવારે 4.65 ટકા વધીને રૂ 436.55 પર બંધ થયો હતો