ગુજરાત બાદ હવે કર્ણાટકની કાયાકલ્પ કરશે અદાણી,1 લાખ કરોડનું કરશે રોકાણ

અદાણી ગ્રૂપ કર્ણાટકનો વિકાસ કરવા માટે વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની હોવાને કારણે રાજ્યમાં રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરશે.

ગુજરાત બાદ હવે કર્ણાટકની કાયાકલ્પ કરશે અદાણી,1 લાખ કરોડનું કરશે રોકાણ
Adani Group To Invest Rs 1 Lakh Crore In Next 7 Years In Karnataka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2022 | 12:14 PM

ગૌતમ અદાણી ગ્રુપે ગુજરાત બાદ કર્ણાટકને કાયાકલ્પ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેણે આગામી 7 વર્ષમાં કર્ણાટકમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. માહિતી આપતાં, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કરણ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આગામી સાત વર્ષ દરમિયાન લગભગ એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્ણાટકના અમુક વિસ્તારમાં કરવામાં આવશે. જેથી જે તે જગ્યાનો વિકાસ પણ થશે.

ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીનું કહેવું છે કે વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની હોવાને કારણે અદાણી ગ્રુપ રાજ્યમાં રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરશે. આ જૂથ કર્ણાટકમાં સિમેન્ટ, પાવર, પાઇપ્ડ ગેસ, ખાદ્ય તેલ, પરિવહન, લોજિસ્ટિક્સ અને ડિજિટલ જેવા અનેક ક્ષેત્રોમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

અદાણીનું ફોકસ સિમેન્ટ બિઝનેસ પર છે

નોંધનીય છે કે ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી બિઝનેસ મેન તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં, અદાણી જૂથ કર્ણાટકમાં 7 મિલિયન ટનથી વધુની કુલ ક્ષમતા સાથે ચાર સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ આ ક્ષેત્રમાં પણ તેની હાજરીનો વિસ્તાર કરશે. આ ઉપરાંત મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત અદાણી વિલ્મર પણ મેંગલુરુમાં તેની હાજરી વધારી રહી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ગુજરાત સરકારને કરોડોનું નુકસાન થયું છે

થોડા દિવસો પહેલા અદાણી ગ્રુપની એક કંપની પર જંગલની જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરવાનો અને ગુજરાત સરકારને રૂ. 58 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. ગુજરાતની જાહેર હિસાબ સમિતિએ તેના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા તેના પાંચમા અહેવાલમાં, પીએસીએ જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટ અને સેઝ માટે કચ્છમાં અદાણી કેમિકલ્સને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી જંગલની જમીનના અયોગ્ય વર્ગીકરણને કારણે, કંપનીને રાજ્ય સરકારને 58.64 કરોડ રૂપિયાની ચુંકવણી કરવી પડી હતી.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">