LIC IPO માટે ગતિવિધિઓ તેજ કરાઈ ,સરકાર ટૂંક સમયમાં મર્ચન્ટ બેન્કરો પાસેથી બીડ મંગાવશે

LIC IPO પહેલા કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના ચેરમેનની નિવૃત્તિ વયમર્યાદા વધારીને 62 વર્ષ કરી છે. આ માટે ભારતીય જીવન વીમા નિગમ (કર્મચારી) નિયમો, 1960 માં સુધારો કરવામાં આવ્યો છે.

LIC IPO માટે ગતિવિધિઓ તેજ કરાઈ ,સરકાર ટૂંક સમયમાં મર્ચન્ટ બેન્કરો પાસેથી બીડ મંગાવશે
LIC IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:28 PM

કોરોનાકાળમાં લોન્ચ થયેલા મોટાભાગના IPO સારું ભંડોળ એકત્ર કરવામાં સફળ રહયા છે. આ દરમ્યાન LIC ના IPO ની રોકાણકારો રાહ જોઇ રહ્યા છે. IPO લાવવા માટે સરકારે તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. એક અનુમાન મુજબ છે કે આ મહિને મર્ચન્ટ બેન્કર્સ માટે બિડ્સ મંગાવવામાં આવી શકે છે. LIC IPO દેશનો સૌથી મોટો IPO છે.

સૂત્રોએ કહ્યું છે કે LICની વેલ્યુએશન આગામી કેટલાક સપ્તાહમાં કરવામાં આવશે. વીમા કંપનીઓના હાલના મૂલ્યની સાથે ભાવિ નફા તેની ચોખ્ખી સંપત્તિ મૂલ્ય (NAV) માં ઉમેરવામાં આવે છે. થોડી અસમયમાં મર્ચન્ટ બેંકર્સની નિમણૂક માટે બિડ મંગાવવામાં આવશે. આ અંગે સંસ્થાકીય રોકાણકારો સાથે વાટાઘાટો ચાલી રહી છે.

જાન્યુઆરી 2022 સુધીમાં IPO આવી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર IPOને નવેમ્બરના અંત સુધીમાં નિયમનકારી મંજૂરી મળે તેવી સંભાવના છે. LICનો IPO જાન્યુઆરી 2022 સુધી આવી શકે છે. માનવામાં આવે છે કે તે અત્યાર સુધીનો દેશનો સૌથ મોટો IPO છે. સરકાર ખાધને પહોંચી વળવા LICનો હિસ્સો વેચવા માંગે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નાણાકીય વર્ષ 2020-21ના કેન્દ્રીય બજેટ દરમિયાન LICના IPOનો ઉલ્લેખ કર્યો હતો. એલઆઈસીનો 10 ટકા ઇશ્યૂ પોલિસીધારકો માટે અનામત રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

LICની સંપત્તિ 32 લાખ કરોડ છે LICના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20માં LICની કુલ અંદાજિત સંપત્તિ લગભગ 32 લાખ કરોડ રૂપિયા અથવા $ 439 અબજ ડોલરની હતી. જીવન વીમા બજારમાં એલઆઈસીનો હિસ્સો લગભગ 69 ટકા છે.

ચેરમેનનો કાર્યકાળ વધારાયો LIC IPO પહેલા કેન્દ્ર સરકારે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના ચેરમેનની નિવૃત્તિ વયમર્યાદા વધારીને 62 વર્ષ કરી છે. આ માટે ભારતીય જીવન વીમા નિગમ (કર્મચારી) નિયમો, 1960 માં સુધારો કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં LICની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) લાવવાની યોજના છે. 30 જૂન, 2021 ના ​​રોજ સરકારે જાહેર કરેલા જાહેરનામા અનુસાર નિયમોમાં કરવામાં આવેલા ફેરફારને જીવન વીમા નિગમ (ભારતીય કર્મચારી) સુધારણા નિયમો કહેવાશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">