7th Pay Commission: સરકારી કર્મચારીઓના Pensionના નિયમોમાં કરાયા ફેરફાર , જાણો હવે કેટલું પેન્શન મળશે?
સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ(goverment employees)ની પેન્શન(pension) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના આશ્રિતોને મદદ મળશે. આ અંતર્ગત પેન્શનના 50 ટકા નાણાં આશ્રિતોને આપવામાં આવશે.
7th Pay Commission: સરકારી કર્મચારીઓ(goverment employees) માટે સારા સમાચાર છે. સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓની પેન્શન(pension) સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. જે અંતર્ગત હવે કર્મચારીના મૃત્યુ બાદ તેના પરિવાર અને તેના આશ્રિતોને મદદ મળશે. આ અંતર્ગત પેન્શનના 50 ટકા નાણાં આશ્રિતોને આપવામાં આવશે. ચાલો જાણીએ આ મહત્વપૂર્ણ ફેરફાર વિશે.
આશ્રિતોને લાભ મળશે નવા નિયમ મુજબ સરકારી કર્મચારીના આશ્રિતો માટેની પેન્શન માટેની 7 વર્ષની સેવાની શરત નાબૂદ કરવામાં આવી છે. હવે જો કોઈ કર્મચારી 7 વર્ષની સેવા પૂર્ણ થતાં પહેલાં મૃત્યુ પામે છે તો પેન્શનના 50% નાણાં કર્મચારીના પરિવારને આપવામાં આવશે. એટલે કે, હવે સરકારી કર્મચારીના મૃત્યુ પછી મળેલ પેન્શનની જૂની શરતો નાબૂદ થઈ ગઈ છે. અગાઉ ઘણા કિસ્સાઓમાં આ સ્થિતિને કારણે પરિવારના સભ્યોને પેન્શનનો લાભ મળી શક્યો ન હતો.
સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું કર્મચારીઓએ લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકારે Dearness Allowance – DA કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે વધાર્યું છે. આ મોંઘવારી ભથ્થું DA અને મોંઘવારી રાહત (DR) હાલના દરથી 17 ટકાથી વધારીને 28 ટકા કરી દેવામાં આવી છે. આ નવા દર 1 જુલાઈ, 2021 થી લાગુ થશે.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ નાણાં મંત્રાલયે એપ્રિલ 2020 માં કોરોના સંકટને લીધે કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 61 લાખ પેન્શનરો માટેના મોંઘવારી ભથ્થામાં વધારો અટકાવવાનો નિર્ણય લીધો હતો. 30 જૂન 2021 સુધી તેમને DAનો લાભ મળ્યો નથી. હવે સરકારના આ પગલાથી લગભગ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને લાભ થશે. બીજી તરફ સરકારના ખર્ચમાં લગભગ 34,401 કરોડનો વધારો થશે.
60 લાખ પેન્શનરોને DRનો લાભ મળશે કેબિનેટના નિર્ણયથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરોને પણ ફાયદો થશે કારણ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના DA લાભો સાથે તેમની મોંઘવારી રાહત (DR) લાભ પણ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે લગભગ 1.14 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ડી.એ. અને ડી.આર. જાન્યુઆરી 2020 થી જૂન 2021 ના સમયગાળા માટે આપવામાં આવશે નહીં.