આ વર્ષે 1 કરોડ Gas Connections નું મફત વિતરણ થવાનુંછે, જાણો કઈ રીતે મેળવશો યોજનાનો લાભ

વર્ષ 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા કનેક્શન વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને રસોઈ ગેસ કનેક્શન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ વર્ષે 1 કરોડ Gas Connections નું મફત વિતરણ થવાનુંછે, જાણો કઈ રીતે મેળવશો યોજનાનો લાભ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 05, 2021 | 8:34 AM

વર્ષ 2021 ના ​​બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે ઉજ્જવલા યોજના હેઠળ એક કરોડ નવા કનેક્શન વિતરણ કરવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને રસોઈ ગેસ કનેક્શન વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 83 મિલિયન એલપીજી જોડાણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજેટની ઘોષણા હેઠળ નવા ગેસ જોડાણો તે રાજ્ય અને ક્ષેત્રમાં આપવામાં આવશે જ્યાં ઉપલબ્ધી ઓછી છે.

સરકાર માટે Ujjwala Yojna ના લાભાર્થીઓની યાદી ખુબ મહત્વપૂર્ણ હોય છે કારણ કે તેના આધારે સરકાર જરૂરિયાતમંદોને વિવિધ યોજનાઓ અને લાભો પહોંચાડે છે. કોરોના લોકડાઉનમાં સરકારે Pradhan Mantri Garib Kalyan packag હેઠળ આ યોજનાના દરેક લાભકર્તાઓને વિના મૂલ્યે ત્રણ ગેસ સિલિન્ડરોનું વિતરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે, 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉજ્જવલા યોજના હેઠળ જ્યારે તમે એલપીજી કનેક્શન લો છો ત્યારે સ્ટોવ સાથેની કુલ કિંમત રૂ 3,૨૦૦ થાય છે જેમાં રૂ 1,600 સીધા સરકાર દ્વારા સબ્સિડીરૂપે આપવામાં આવે છે અને બાકીના રૂ 1600 ઓઇલ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. જોકે ગ્રાહકોએ રૂ 1,600 તેલ કંપનીઓને EMI તરીકે ચૌકકવાની હોય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે કેવી રીતે અરજી કરવી? BPL પરિવારની કોઈપણ મહિલા ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન માટે અરજી કરી શકે છે. આ માટે KYC ફોર્મ ભરવું પડશે અને તેને નજીકના LPG સેન્ટરમાં સબમિટ કરવું પડશે. ઉજ્જવલ યોજનામાં અરજી કરવા માટે 2 પેજનું ફોર્મ, જરૂરી દસ્તાવેજો, નામ, સરનામું, જન ધન બેંક એકાઉન્ટ નંબર, આધાર નંબર વગેરે આવશ્યક છે. અરજી કરતી વખતે એ પણ જણાવવું પડશે કે 14.2 કિલો સિલિન્ડર લેવું છે કે 5 કિલોનું, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઇટ પરથી તમે ઉજ્જવલા યોજનાનો અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. વધુમાં તમે નજીકના એલપીજી સેન્ટરથી પણ અરજી ફોર્મ મેળવી શકો છો.

ઉજ્જવલા યોજના માટે કયા દસ્તાવેજોની જરૂર છે? >> પંચાયત અધિકારી અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન દ્વારા અધિકૃત BPL કાર્ડ >> BPL રેશનકાર્ડ >> ફોટો આઈડી (આધાર કાર્ડ, મતદાર ID) >> પાસપોર્ટ સાઇઝનો ફોટો >> રાશન કાર્ડની નકલ >> ગેઝેટેડ અધિકારી દ્વારા પ્રમાણિત સ્વ-ઘોષણા >> LIC પોલિસી, બેંક સ્ટેટમેન્ટ >> BPL યાદીમાં નામની પ્રિન્ટ

ઉજ્જવલ યોજના માટે આવશ્યક બાબત >> અરજદારનું નામ SECC-2011 ડેટામાં હોવું જોઈએ. >> અરજદાર એવી સ્ત્રી હોવી જોઈએ જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. >> મહિલાઓ ફક્ત BPL પરિવારથી હોવી જોઈએ. >> મહિલા માટે રાષ્ટ્રીય બેંકમાં બચત ખાતું હોવું ફરજિયાત છે. >> અરજદારના મકાનમાં કોઈના નામે પહેલાનું LPG કનેક્શન હોવું જોઈએ નહીં. >> અરજદાર પાસે બીપીએલ કાર્ડ અને વધુ બીપીએલ રેશનકાર્ડ હોવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">