ટીવી નાઈનનાં ડીજીટલ લાઈવ શો માં ચીની પ્રોડક્ટનાં વિરોધને લઈ થયું કઈક એવું કે જે પહેલા કદાચ ક્યારેય નથી થયું
ચીનનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય વેપારીઓ પર ચાઈનીઝ પ્રોડક્ટ બેન મુદ્દે કરેલી ટીપ્પણી એ ગંભીર રૂપ લઈ લીધું છે. આજે નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજ થી “ભારતીય સામાન અમારૂ અભિયાન” ને વધારે તીવ્રતાથી દેશભરમાં વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 સુધીમાં ચીનની આયાતને 1 લાખ કરોડ સુધી ઘટાડી દેવા […]
ચીનનાં મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતીય વેપારીઓ પર ચાઈનીઝ પ્રોડક્ટ બેન મુદ્દે કરેલી ટીપ્પણી એ ગંભીર રૂપ લઈ લીધું છે. આજે નાના વેપારીઓના સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજ થી “ભારતીય સામાન અમારૂ અભિયાન” ને વધારે તીવ્રતાથી દેશભરમાં વેગવંતુ બનાવી દેવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 સુધીમાં ચીનની આયાતને 1 લાખ કરોડ સુધી ઘટાડી દેવા માટે આ આંદોલનમાં આહ્નવાન આપવામાં આવ્યું છે. આ એ અભિયાન છે કે જેમાં ભારતનાં ખેડુતો, ટ્રાન્સપોર્ટર, નાના અને મધ્યમ ઉદ્યોગ, હોકર્સ, ખરીદદારો સહિત સ્વદેશી સંગઠનનો પણ સાથ લેવામાં આવ્યો છે અને હવે તે આગળ વધતું રહેશે.
ભારતીય સામાન અમારૂ અભિયાન અંતર્ગત ટીવી નાઈનનાં ડીજીટલ માધ્યમ દ્વારા આ અંગે કન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનાં જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલ સાથે વાત કરવામાં આવી હતી અને વાતચીત દરમિયાન કૈટ સંસ્થા કે જે હજારોની સંખ્યામાં નાની ક્લસ્ટર સંસ્થાઓ સાથે જોડાયેલી છે તેની હાજરી પણ ચાઈનીઝ એપ્લીકેશન હેલો પર જોવા મળી હતી. હવે એક તરફ ચીની માલસામાનના બોયકોટની વાત ચાલી રહી હતી અને બીજી તરફ આ ખુલાસો થયા બાદ ચાલુ ડીબેટમાંજ પદાધિકારી એ ફોન લગાડ્યો હતો તેમના સોશ્યલ મિડિયા મેનેજરને અને ટીવી નાઈનનાં ડીજીટલ પ્લેટફોર્મ પરથી જ હેલો એપ્લીકેશનની સચ્ચાઈની ખરાઈ કર્યા બાદ એકાઉન્ટ ડીલીટ કરી દેવામાં આવશેની જાહેરાત કરવામાં આવી હતી. સાંભળો 23 મિનિટ અને 49 સેકન્ડથી વાત કે જેમાં પદાધિકારીએ લાઈવમાં શું સુચના આપી? વાત આટલે થી નથી અટકતી કેમકે ગણતરીની મિનિટોમાં જ કૈટનું હજારો લોકોનું ફોલોઅર પેજ ધરાવતું એકાઉન્ટ તેમણે ડીલીટ કરી નાખ્યું હતું, એટલું જ નહી પરંતુ પોતાનું અને સાથે બીજા પદાધિકારીઓના એકાઉન્ટ પણ ડીલીટ કરી નાખ્યું હોવાનો ફોન કૈટના જનરલ સેક્રેટરી પ્રવિણ ખંડેલવાલે અમને કરીને જાણ કરી હતી.
કૈટ સંસ્થા સાથે જોડાયેલા એ તમામ પદાધિકારીઓને સલામ છે કે જેમણે એક જ ઝાટકે ચાઈનીઝ વસ્તુ હોય કે પછી તેમનું સોશ્યલ મિડિયાનું માધ્યમ તેમણે દુર કરી નાખ્યું હતું. અગર આ જ રીતે ભારતીયતાની ભાવના સાથે ચીની વસ્તુઓને તિલાંજલી આપવાની શરૂઆત કરશે તો ભારતનો સામાન તમારૂ, મારૂ અને આપણું અભિયાન જ નહી પરંતુ અભિમાન બની રહેશે.