કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓને સરકાર કરશે મદદ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ સરળ લોન આપશે
વડા પ્રધાન સ્વિનીધિ યોજનામાં હવે અને સરળતાથી લોન લોન મેળવી શકાશે. કેન્દ્ર સરકારની યોજના છે કે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિની યોજનાનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ યોજનાથી બેંકોને જોડવામાં આવી શકે છે. યોજનામાં માત્ર જાહેરક્ષેત્રનીજ નહિ પરંતુ ખાનગી બેંક પણ શામેલ કરાઈ શકે છે. હાઉસિંગ અને શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદીના વિચારને […]
વડા પ્રધાન સ્વિનીધિ યોજનામાં હવે અને સરળતાથી લોન લોન મેળવી શકાશે. કેન્દ્ર સરકારની યોજના છે કે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિની યોજનાનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ યોજનાથી બેંકોને જોડવામાં આવી શકે છે. યોજનામાં માત્ર જાહેરક્ષેત્રનીજ નહિ પરંતુ ખાનગી બેંક પણ શામેલ કરાઈ શકે છે. હાઉસિંગ અને શહેરી વિકાસ વિભાગના કર્મચારીઓને પીએમ નરેન્દ્ર મોદીના વિચારને અમલમાં મુકવા કામ કરવાની સૂચના આપવામાં આવી છે. પીએમ સ્વિનીધિ પોર્ટલ સાથે જોડી લોન મંજરી અને ટ્રાન્સફરના કામમાં તેજી લાવવામાં આવશે.
આ અંગેની પીએસયુ અને ખાનગી બેન્કોને સહમત કરવાની યોજના ઘડાઈ રહી છે. વધુમાં વધુ લોકોને લાભ મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન સ્વિનીધિ પોર્ટલ અને ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) ની પોર્ટલ વચ્ચે તાળમેળ બેસાડવા માટે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટફેસ આપી શરૂ કરવામાં આવ્યો છે. આ બદલાવથી PM Svanidhi portal और SBI ના e -mudra પોર્ટલ વચ્ચે લોન અંગે આવેદન અને એપ્રુવલની પ્રક્રિયા સરળ બનાવાઈ રહી છે. આ યોજનાનો મુખ્ય હેતુ ફૂટપાથ ઉપર નાના -મોટા કામધંધા કરનારા લોકોને વર્કિંગ કેપિટલ મેળવવામાં સરળતા પ્રદાન કરવાનો છે.
૧ જૂનથી યોજના લાગુ કરાઈ છે પરંતુ કામગીરીને વધુ સરળ બનવાઈ રહી છે.કોરોના વાયરસ લોકડાઉનથી રોજ કમાઈ રોજ ખાનારા વર્ગને મોટી અસર પહોંચી છે. આ યોજના થકી શેર અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૦ લાખ લોકો સુધી યોજનાનો લાભ પહોંચાડવાનો ઉદ્દેશ્ય રખાયો છે. આ યોજના દ્વારા ૧૦ હજાર સુધીની લોન અપાય છે જે ૧ વર્ષમાં માસિક હપ્તાઓ ધરવા ચુકવવાની રહેશે. આજદિન સુધીમાં ૨૦.૫૦ લાખ અરજીઓ મળી છે જેમાં ૭.૮૫ લાખ અરજીઓને એપ્રુવલ આપી દેવાયું છે અને ૨.૪૦ લોકોને લોન આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિની આગેવાની કરશે : મુકેશ અંબાણી