monetary policy Committeના ત્રણ સભ્યોની અવધિ પૂર્ણ થયા બાદ રિપ્લેસમેન્ટ ન થતા ૨૯મીએ મળનારી નાણાકીય સમીક્ષા બેઠક મુલતવી રખાઈ
RBIની નાણાકીય સમીક્ષા પર થવા વાળી બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરે યોજાનારી હતી પરંતુ હવે આ બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોનો કાર્યકાલ સપ્ટેમ્બર -૨૦૨૦માં પૂર્ણ થતો હોવા છતાં રિપ્લેસમેન્ટ ન થવાથી બેઠક ટાળી દેવાઈ હોવાનું મનાઈ રહ્યું છે. બેઠક મુલતવી રાખ્યાની જાહેરાત સામે નવી તારીખ અંગે હજુ કોઈ સત્તાવાર […]
RBIની નાણાકીય સમીક્ષા પર થવા વાળી બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબરે યોજાનારી હતી પરંતુ હવે આ બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોનો કાર્યકાલ સપ્ટેમ્બર -૨૦૨૦માં પૂર્ણ થતો હોવા છતાં રિપ્લેસમેન્ટ ન થવાથી બેઠક ટાળી દેવાઈ હોવાનું મનાઈ રહ્યું છે. બેઠક મુલતવી રાખ્યાની જાહેરાત સામે નવી તારીખ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી RBI દ્વારા આપવામાં આવી નથી .
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મૉનેટરી પૉલિસી સમિતિમાં 6 સભ્યો હોય છે. RBI ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને એક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉપરાંત સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોનો સમિતિમાં સક્રિય રહે છે. સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યો ચેતન ઘટ્યા, પમી દુઆ અને રવિન્દ્ર એચ ઢોલિયાનો કાર્યકાળ સપ્ટેમ્બર-૨૦૨૦માં પૂર્ણ થાય છે. RBIના બહારના ભ્યોની મુદત 4 વર્ષથી વધારી શકાતી નથી તો સામે સરકારે અત્યાર સુધી કોઇ રીપ્લેસમેન્ટ જાહેર કર્યું નથી જે કારણે બેઠક ટાળી દેવાઈ હોવાનું મનાઈ રહ્યું છે. કોરોનાવાયરસ સંક્રમણના દરમિયાન RBIની નાણાકીય મૉનેટરી પૉલિસી સમિતિની બેઠક 27 માર્ચ, 17 એપ્રિલ અને 22 મે મળી હતી. આવતીકાલ ૨૯ સપ્ટેમ્બરે મળનાર બેઠક મુલતવી થઇ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો