મચ્છરોને મારવા પાછળ ચીનને અપાતા 300 કરોડ હવે દેશમાંજ રહેશે, મોરબીના વેપારીઓએ બનાવવાનાં શરૂ કર્યા મચ્છર મારવાનાં રેકેટ, જલ્દીજ બજારમાં મળવા લાગશે મેડ ઈન મોરબીનાં રેકેટ
દેશભરમાં મચ્છરો મારવા માટે ખર્ચાતા 300 કરોડ રૂપિયા હવે ચીનને આપવા નહી પડે. આવતા 1 વર્ષમાં દેશભરનાં 95% ભાગમાં વપરાતા મચ્છરો મારવા માટેના રેકેટ મેડ ઈન મોરબીનાં રહેશે. હાલમાં મળી રહેલા રેકેટની કિંમત 150 રૂપિયા છે પણ દેશભરમાં આવા કોઈ રેકેટ નથી બની રહ્યા. જે સામે મોરબીમાં ત્રણ મહિનામાં જ રેકેટ બનવાનાં શરૂ થઈ જશે […]
દેશભરમાં મચ્છરો મારવા માટે ખર્ચાતા 300 કરોડ રૂપિયા હવે ચીનને આપવા નહી પડે. આવતા 1 વર્ષમાં દેશભરનાં 95% ભાગમાં વપરાતા મચ્છરો મારવા માટેના રેકેટ મેડ ઈન મોરબીનાં રહેશે. હાલમાં મળી રહેલા રેકેટની કિંમત 150 રૂપિયા છે પણ દેશભરમાં આવા કોઈ રેકેટ નથી બની રહ્યા. જે સામે મોરબીમાં ત્રણ મહિનામાં જ રેકેટ બનવાનાં શરૂ થઈ જશે અને તે પણ કોઈ કોસ્ટમાં વધારા વગર. ચાઈનાનો 300 કરોડનો વેપાર મોરબીએ ખેંચી લીધો છે અને જે 10 થી 12 હજાર લોકલ લોકોને રોજગારી પુરી પાડશે. ટીવી નાઈનનાં ડિજીટલ પ્લેટફોર્મ પરથી જાહેરાત કરતા તેમણે આ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે તેમણે ક્લોક ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતી નાની એસેમ્બલીથી લઈને કોઈ પણ પાર્ટને ચાઈનાથી આયાત કરવાની ના પાડી દીધી છે અને તે ભારતમાંજ રહી ને મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન પુરૂ પાડશે. સાંભળો ઓરેવા અજંતા ગૃપ ઓફ કંપનીઝનાં MD જયસુખભાઈ પટેલ સાથેની આખી વાતચીત અને જાણો કે કઈ રીતે એક જ ઝટકામાં તેમણે ચીનને કરોડો રૂપિયાનો ફટકો આપી દીધો છે.