કેમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને કહયું કે તમામ સર્ચ રિઝલ્ટ સચોટ નથી હોતા , જાણો અહેવાલમાં
દેશમાં બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. ભેજાબાજો લોકોને નવીનવી રીતથી છેતરતા હોય છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સતત લોકોને આવી છેતરપિંડી ટાળવા ચેતવણી આપી રહી છે. આ સંદર્ભમાં એસબીઆઈએ એક ટ્વીટ જારી કરીને તેના કરોડો ગ્રાહકોને સજાગ રહેવાની અપીલ કરી છે. તમામ સર્ચ રિઝલ્ટ સાચા પરિણામો આપે છે, જરૂરી નથી […]
તમામ સર્ચ રિઝલ્ટ સાચા પરિણામો આપે છે, જરૂરી નથી બેંક વપરાશકારો સામાન્ય રીતે કોઈપણ માહિતી માટે ગુગલ તરફ વળે છે અને સર્ચ રિઝલ્ટ પર આધાર રાખે છે. એસબીઆઈએ કહ્યું છે કે તમામ સર્ચ રિઝલ્ટ સાચા અને સચોટ પરિણામ જ આપે એ જરૂરી નથી. ગ્રાહકોને આવી સમસ્યાથી બચાવવા માટે, બેંકે કેટલાક હેલ્પલાઇન નંબર્સ અને વેબસાઇટ્સ જારી કરી છે.
બેંકના અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઈટના ઉપયોગની અપીલ ગૂગલ પર સર્ચ કરનારા ઘણા લોકો ભૂલ અથવા કાવતરાના કારણે ફેક સાઇટ્સ પર ચાલ્યા જાય છે. આ બાબતોને લઈ એસબીઆઈએ કહ્યું કે બેંક સંબંધિત સંબંધિત એપિડેટ્સ માટે https://bank.sbi વેબસાઇટ નો જ ઉપયોગ કરવો જોઈએ. આ વેબસાઇટ પર એસબીઆઈ બેન્કથી જુદી માહિતી મેળવી શકાય છે
ટોલ ફ્રી નંબર જાહેર કરાયા અનેક મામલા સામે આવ્યા છે કે ગૂગલ સર્ચ કરી કસ્ટમર કેયર નંબર જાણવાની કોશિશ કરાય છે અબે ગ્રાહક ભેજાબાજોનો શિકાર બની જાય છે. એસબીઆઈએ તેના તમામ ગ્રાહકોને અલર્ટ કરતા કેટલાક નંબર આપ્યા છે. કોઈપણ એસબીઆઈ કસ્ટમર કેર નંબર્સ 1800 11 2211, 1800 425 3800 અથવા 080 26599990 પર સંપર્ક કરી બેંક સંબંધિત માહિતી મેળવી શકશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો