કોરોનાકાળમાં સામાન્ય ભારતીયની વિચારસરણીમાં આવ્યો બદલાવ, લોકો ખર્ચ ઘટાડી આકસ્મિક ફંડ ઉપર ભાર આપી રહ્યા છે
કોરોનાએ સામાન્ય ભારતીયની ગ્રાહક તરીકેની વિચારસરણીમાં મોટો ફેરફાર લાવ્યો છે. લોકો ખરીદી ઓછી કરી રહ્યા છે. રોકડ હાથ પર રાખી કોઈ મોટા આકસ્મિક ખર્ચ માટે કે વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા આયોજન ઉપર ભાર મૂકી રહ્યા છે. લોકો માત્ર ખપ પૂરતી ખરીદી કરી બિનજરૂરી ખર્ચ ન થાય તેનું વધુ ધ્યાન આપે છે. પરિવારોએ આકસ્મિક ખર્ચ જેવા […]
લૉકડાઉન અમલમાં આવ્યું ત્યારથી દેશમાં કુલ ૨૪.૦૯ લાખ કરોડ રૂપિયાનું ચલણ વ્યવહારમાં હતું. લૉકડાઉન દરમિયાન જનજીવન ઠપ્પ રહ્યું છે. બજારો અને ઑફિસો બંધ રહેવાથી ગ્રાહકોની ખરીદી ઘટવાથી વ્યવહારમાં રહેલું ચલણ ઘટી હાથ પર રોકડનું પ્રમાણ વધ્યું હતું. ૨૦ મેથી અનલોકની શરૂઆત થતા વ્યવહારમાં ચલણ ૨.૦૧ લાખ કરોડ રૂપિયા વધી ૨૬.૧૧ લાખ કરોડ રૂપિયા થયું હતું. ૧૧ સપ્ટેમ્બરે સ્થિતિ વધુ થોડી સુધારીને ૨૬.૯૬ લાખ કરોડ રૂપિયા થઈ છે પણ જોકે લૉકડાઉન ખુલ્યા પછી પણ લોકો હજી પણ માર્યાદિત ખરીદી કરી રહ્યા છે. બજારમાં હજી પણ લોકો માત્ર જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. એવી ચીજો કે જેની આવશ્યકતા હોય એના પર વધારે ભાર છે. કોરોના વાઇરસનો વ્યાપ ભારતમાં સતત વધી રહ્યો છે અને એનાથી લૉકડાઉન ફરી આવશે એવો સતત ડર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, પગારમાં ઘટાડો, નોકરી ગુમાવવાથી આવકમાં પડેલી ખોટ અને એની અસર પણ લોકોની ખરીદી પર જોવા મળી રહી છે.
Credit Rating Information Services of India Limited – CRISIL અનુસાર કૃષિના લીધે ગ્રામ્ય અર્થતંત્રને ટેકો ચોક્કસ મળશે પણ વર્તમાન નાણાકીય વર્ષમાં કન્ઝમ્પ્શન ચોક્કસ ઘટશે. પ્રવાસન, સ્પોર્ટ્સ, મનોરંજન, હોટેલ્સ અને રેસ્ટોરાંજેવી સેવાઓ હવે છ મહિનાથી ઠપ્પ જેવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો