કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ મર્યાદા, ડિસેમ્બર-૨૦ સુધી લંબાવતા, ૬૦ લાખ ટન ખાંડ નિકાસ થશે
ખાંડના વધારાના જથ્થાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ખંડણી નિકાસ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. સુગર મિલોને ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારાના ખાંડના જથ્થાના નિકાસ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની વધારાના ત્રણ મહિના માટે પરવાનગી આપી દેવાઈ છે. સરકારના આ નિર્ણયથી સુગર મિલોને મોટી રાહત મળશે. ખાંડની મિલોને […]
ખાંડના વધારાના જથ્થાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે ખંડણી નિકાસ સંબંધિત મહત્વનો નિર્ણય લીધો છે. સુગર મિલોને ડિસેમ્બર ૨૦૨૦ સુધી વધારાના ખાંડના જથ્થાના નિકાસ માટે પરવાનગી આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની વધારાના ત્રણ મહિના માટે પરવાનગી આપી દેવાઈ છે. સરકારના આ નિર્ણયથી સુગર મિલોને મોટી રાહત મળશે.
ખાંડની મિલોને કોરોના મહામારીના પ્રારંભિક તબક્કામાં અને લોકડાઉન દરમિયાન લોજિસ્ટિકની સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. આ સમયગાળામાં પડેલી મુશ્કેલીઓ અને તેના કારણે થયેલા નુકશાનને પહોંચી વળવા નિકાસ માટે ડિસેમ્બર સુધીનો સમય વધારી દેવાયો છે. નિકાસનો મામલો પણ વિવાદમાં રહ્યો હતો. ઈન્ડોનેશિયા દ્વારા થોડા સમય પહેલાં ગુણવત્તાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. બાદમાં મામલે ઈન્ડોનેશિયા સાથે સમાધાન કરવામાં આવ્યું છે જેથી અડચણો દૂર થઈ રહી છે.
કેન્દ્ર સરકારે ખાંડની મિલોને વધારાના ખાંડના જથ્થાની નિકાસ માટેની સમય મર્યાદા ત્રણ મહિના વધારીને ડિસેમ્બર સુધી કરી છે. સૂત્રો અનુસાર વધારાની ખાંડની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા માર્કેટિંગ વર્ષ ૨૦૧૯-૨૦ના ૬૦ લાખ ટન ખાંડના ક્વોટાના નિકાસની પરવાનગી આપી દીધી છે. ૬૦ લાખ ટનમાંથી ૫૭ લાખ ટન ખાંડનો ઓર્ડર મળી ગયો છે જે ટૂંક સમયમાં રવાના પણ કરી દેવાશે.
આ પણ વાંચોઃવોલમાર્ટ સાથે જોડાણ કરીને ટાટા જૂથ રીટેલ ક્ષેત્રે કરશે શરુઆત
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો