આ વખતે Budgetમાં કોને થયો ફાયદો કોણ થયું નિરાશ, જાણો વિગત

Union Budget 2021: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને અનેક લોકો અને વર્ગને આશા હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સદીનું શ્રેષ્ઠ બજેટ હશે,

આ વખતે Budgetમાં કોને થયો ફાયદો કોણ થયું નિરાશ, જાણો વિગત
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 01, 2021 | 5:51 PM

Union Budget 2021: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટને લઈને અનેક લોકો અને વર્ગને આશા હતી. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ સદીનું શ્રેષ્ઠ બજેટ હશે, જ્યારે પીએમ મોદીએ ઈશારો કર્યો હતો આ મીની બજેટથી વધારે કશું નહીં હોય. આ બજેટમાં અનેક લોકોની આશા પૂર્ણ થઈ છે, પરંતુ અમુક લોકોના હાથે નિરાશા લાગી છે. આવો જાણીએ આ બજેટમાં કોણ હાર્યું અને કોણ જીત્યું.

આ Budgetમાં કોણ જીત્યું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હેલ્થ સેક્ટરમાં સૌથી વધારે Budget

હેલ્થ સેક્ટરને Budgetમાં સૌથી વધારે ફાયદો  થયો છે. જેમાં આ વર્ષે બજેટમાં 2.38 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આરોગ્ય બજેટમાં 135 ટકાનો વધારો થયો છે. આ પૂર્વે બજેટ 94 કરોડ રૂપિયા હતું, જે વધીને 2.38 લાખ કરોડ કરવામાં આવ્યું છે.

સિનિયર સીટીઝનને મોટી રાહત

આ વખતના બજેટમાં સિનિયર સીટીઝનને મોટી રાહત મળી છે. 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોઈ ટેક્સ નહીં લાગે. પરંતુ આ શરત માત્ર તેમને પેન્શનની આવક પર જ લાગુ રહેશે. એટલે કે બીજી આવક પર ટેક્સ ભરવો પડશે.

બેંકિંગ અને વીમા સેક્ટરમાં વધી એફડીઆઈ

આ વર્ષના બજેટમાં ઈન્સ્યોરન્સ સેક્ટરમાં 74 ટકા સુધી એફડીઆઈની જાહેરાત કરવામાં આવી. જે પહેલા 49 ટકા હતી. આ ઉપરાંત રોકાણકારો માટે ચાર્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. તમામ બેંકોના બાકી લેણાં માટે એક અલગ કંપની બની રહી છે. જો બેંકોના ફસાયેલા દેવાને લઈને બજારમાં વેચશે. એવી આશા છે કે બેંકિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટરમાં અનેક નોકરીઓ નીકળશે.

આ Budgetમાં કોણ હાર્યું

નોકરીયાત વર્ગને હાથ લાગી નિરાશા

આ વખતનું બજેટ નોકરિયાત વર્ગ માટે નિરાશાજનક છે. આ બજેટને લઈને તેમને ખૂબ આશા હતી. જેમાં ઈન્કમટેક્સમાં 80 સી અંતર્ગત મુકિત મર્યાદા વધવાની શક્યતા હતી. તેની સાથે 2.5 લાખ રૂપિયાની કમાણી પર મળનારી છૂટ વધવાની આશા હતી. આ આશા એટલા માટે રાખવામાં આવતી હતી કે છેલ્લા સાત વર્ષથી તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ પૂર્વે જુલાઈ 2014માં ટેક્સની મુકિત મર્યાદા બે લાખ વધારીને 2.5 લાખ કરી હતી. તેમજ 80-સી હેઠળ રોકાણ પર ટેક્સની મુકિત મર્યાદા એક લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી હતી.

સામાન્ય લોકોને કશું ના મળ્યું

આ બજેટમાં જોવા જઈએ સામાન્ય લોકોને કશું જ ના મળ્યું. આમ આદમીને રાહત મળે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ ઉપરથી મોટાભાગની વસ્તુઓ પર કસ્ટમ ડયુટી અને સરચાર્જ લગાવવાને કારણે મોબાઈલ સહિત અનેક વસ્તુઓ મોંઘી થઈ છે. આમ આદમી માટે બજેટ નિરાશજનક સાબિત રહ્યું.

મહિલાઓને પણ કશું ખાસ ના મળ્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે આશા હતી કે મહિલાઓ માટે જરૂરથી કશુંકને કશું જાહેર કરશે. આશા રાખવામાં આવી રહી છે કે મહિલાઓને મજબુત કરવાની કોશિષ કરવામાં આવશે. પરંતુ બજેટ ભાષણ સાંભળીને એમ લાગ્યું કે મહિલાઓ પર પણ આ બજેટ કશું ધ્યાન આપવામાં આવી નથી અને જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Education Budget 2021: શિક્ષણ બજેટમાં બદલાવ, આ સંસ્થાને આપવામાં આવશે 50 હજાર કરોડ

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">