Economic Survey Report 2021: આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જણાવશે અર્થતંત્રની સ્થિતિ

આજથી બજેટ સત્ર 2021 (Budget Session 2021)ની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સાથે લોકસભા અને રાજ્યસભાને સંબોધન કરશે.

Economic Survey Report 2021: આજે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જણાવશે અર્થતંત્રની સ્થિતિ
krishnamurthy subramanian - chief economic advisor (File Image)
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 29, 2021 | 12:17 AM

આજથી બજેટ સત્ર 2021 (Budget Session 2021)ની શરૂઆત થઈ રહી છે. સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એક સાથે લોકસભા અને રાજ્યસભાને સંબોધન કરશે. આ વર્ષે ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 (Economic Survey Report 2021)પણ સત્રના પહેલા દિવસે રજૂ કરવામાં આવશે. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સામાન્ય રીતે બજેટના એક દિવસ પહેલા આ અહેવાલ મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા રજૂ કરવામાં આવે છે.

ઈકોનોમિક સર્વે રિપોર્ટ 2021 (Economic Survey report 2021)માં એવુ કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ શું હતી, તેમજ વર્તમાન અને ભવિષ્યમાં તેને પડકારોનો સામનો કરવો પડે છે. આ અહેવાલ આર્થિક બાબતોના વિભાગ, DEA દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ હાલમાં દેશના મુખ્ય આર્થિક સલાહકાર છે અને તેઓ આ વર્ષે સર્વે રિપોર્ટ રજૂ કરશે. કે.વી.સુબ્રમણ્યમની નિમણૂક ડિસેમ્બર 2018માં કરવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સરકાર દેશના અર્થતંત્ર વિશેની સત્તાવાર માહિતી દેશને આપે છે

આ વર્ષે આ અહેવાલ ખૂબ મહત્વનો છે કારણ કે વર્ષ 2020 કોરોનાના નામે રહ્યું હતું, જેના કારણે અર્થતંત્રને ઘણું નુકસાન થયું છે. સરકારનો વર્તમાન અંદાજ એ છે કે દેશના અર્થતંત્રમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 7.7 ટકા ઘટાડો દર્જ કરવામાં આવશે.

અર્થતંત્રના પડકારો જણાવાશે

કે.વી.સુબ્રમણ્યમે અનેક પ્રસંગોએ કહ્યું છે કે દેશના અર્થતંત્રમાં વી આકારની રિકવરી થશે અને તે આગામી નાણાકીય વર્ષ (2021-22)માં બે આંકડામાં વૃદ્ધિ કરશે. આ રિપોર્ટ દ્વારા સરકાર અર્થઘટન પણ કરે છે કે અર્થવ્યવસ્થા સામે ક્યા પડકારો છે, તેની સાથે વ્યવહાર કરવા માટે કઈ યોજના તૈયાર કરવામાં આવી છે અને કારણોના આધારે, એવું માનવામાં આવે છે કે સરકારની યોજના અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે મદદ કરશે.

અર્થતંત્રના આધારસ્થંભની શક્તિ વર્ણવાય છે

આર્થિક સર્વે અહેવાલમાં કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, નિકાસ, આયાત, વિદેશી વિનિમયના મુદ્દા પર પણ અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિ સિવાય નાણાંની સપ્લાયના વલણ વિશે પણ માહિતી આપવામાં આવે છે. આ સિવાય આ રિપોર્ટકાર્ડમાં અર્થવ્યવસ્થાને લગતી સૂચનાઓ અને મહત્વપૂર્ણ માહિતી પણ શામેલ થાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">