Budget 2022 : મોબાઈલ ફોન, ચાર્જર સસ્તા થશે, છત્રી, દારુ, LED લાઈટ થઈ મોંઘી, જુઓ સસ્તા મોંઘાની સંપૂર્ણ યાદી

Budget Costlier Items: બજેટ પછી દરેકના મનમાં સવાલ થાય છે કે, આ બજેટથી વધુ સસ્તું શું મળશે. બજેટ બાદ કૃષિસંલગ્ન મશીનરી સસ્તી થશે. આ સિવાય બજેટમાં કટ અને પોલિશ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે તે પણ સસ્તા થઈ જશે.

Budget 2022 : મોબાઈલ ફોન, ચાર્જર સસ્તા થશે, છત્રી, દારુ, LED લાઈટ થઈ મોંઘી, જુઓ સસ્તા મોંઘાની સંપૂર્ણ યાદી
બજેટ 2022થી શુ સસ્તુ અને શુ મોંઘુ થશે ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 8:33 PM

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ ચોથું બજેટ છે. આ બજેટ કોરોના વાયરસ મહામારીના સમયગાળામાં રજૂ કરવામાં આવ્યું છે. તેથી તેનું મહત્વ વધે છે. નાણામંત્રી સીતારમણનું પણ આ ચોથું બજેટ છે. બજેટ પછી દરેકના મનમાં સવાલ છે કે આ બજેટથી સસ્તું શું મળશે. બજેટ બાદ કૃષિ સામાન સસ્તો થશે. આ સિવાય બજેટમાં કટ અને પોલિશ્ડ ડાયમંડ પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે તેઓ પણ સસ્તા થઈ જશે. સાથે જ છત્રી ખરીદવી મોંઘી થશે. છત્રીઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરવામાં આવી છે.

આ વસ્તુઓ થશે સસ્તી

  • ફૂટવેર
  • જ્વેલરી
  • ઇલેક્ટ્રિક માલ
  • વિદેશી મશીનો
  • ફાર્મ સાધનો
  • મોબાઇલ ચાર્જર
  • મોબાઇલ
  • કપડાં
  • ચામડાની વસ્તુઓ

આ વસ્તુઓ મોંઘી થશે

(1) છત્રી

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

(2) દારૂ

(3) કપાસ

(4) ખાદ્ય તેલ

(5) એલઇડી લાઇટ

મોબાઈલ ફોન ચાર્જરના ટ્રાન્સફોર્મર અને કેમેરા લેન્સ પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેલુ મોબાઈલ ફોનના ચાર્જર સસ્તા થશે. દેશમાં એસેમ્બલ થયેલા મોબાઈલ પણ સસ્તા હોઈ શકે છે. ઘરેલુ સ્તરે મોબાઈલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ સિવાય નાણામંત્રી સીતારમણે કેટલાક રસાયણો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. તેમાં મિથેનોલનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આમ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ એવી પણ જાહેરાત કરી છે કે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી રહી છે.

સીતારમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં વધુ સારી ક્ષમતાવાળી 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો લાવવામાં આવશે. તેમણે કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. અને મેટ્રો સિસ્ટમ વિકસાવવા માટે નવીન પદ્ધતિઓનો અમલ કરવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના ધ્યેયને હાંસલ કરવા માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે, જેમાં આગામી પાંચ વર્ષમાં 60 લાખ નવી નોકરીઓ અને 30 લાખ કરોડ વધારાના ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ

Budget 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આ બજેટથી ગરીબોને ફાયદો થશે, જીવનના દરેક ક્ષેત્રને આધુનિક બનાવશે

આ પણ વાંચોઃ

Budget 2022: કોઈએ કહ્યું દૂરંદેશી તો કેટલાકે સર્વસમાવેશક, જાણો સરકારના બજેટ પર અમિત શાહ સહિત શાસક પક્ષના નેતાઓનો અભિપ્રાય

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">